આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ

આગવા અંદાજ નો દ્રષ્ટિકોણ
મારી નજરે

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

Rationalism : દિવા તળે અંધારુ ??


Rationalism = બુધ્ધિવાદ
Retionallist = સમજદાર , સુઝ ધરાવનાર , વિવેકી

"વિવેકબુધ્ધિ" ના નવા અભિગમ..... જે સમાજ ને અંધશ્રધાઓ, વહેમ અને દુષ્પ્રચાર થી દુર કરી ને એક નવી દીશા માં લઇ જવાની એક શરુઆત... સારા આશય સાથે સમાજ કલ્યાણ માટે પ્રકૃતિ-તરફી એક શુધ્ધ અને વૈજ્ઞાનિક પધ્ધતિ ને અનુસરતી એક પ્રણાલિ ........!!! અથવા પ્રણાલિ ની શરુઆત


આ જ રીતે ઘણાં બધાં બુધ્ધિજીવીઓ રેશનાલીઝમ ને પોતપોતાની રીતે એક સુગમ- અભિગમ સાથે મુલવે છે
કારણ .... હજી આ એક ઉગતો વિચાર છે અને ઉગતા વિચાર ને જ્યાં સુધી ટેકનિકલી રીતે ફીક્સ નહી કરી શકાય ત્યાં સુધી અથવા જ્યા સુધી રેશનાલીઝમ સુગમ રીતે પધ્ધતિસર સમાજ નાં દરેક પાસાંઓ પર તાર્કીક રીતે સુદ્ઢ અને બંધબેસતા નહી બને ત્યા સુધી રેશનાલીઝમ અંગે બૌધ્ધિકો /તત્વચિંતકો વચ્ચે પણ ગેર સમજો અને દ્વીધાઓ રહેશે ..... !!!

આ દ્વીધાઓ મુદાસર/ તાર્કિક રીતે જોઇયે


(૧) રેશનાલીઝમ માં ધર્મ અને નાસ્તિકતા .....////
----------------------------------------
"માનવીય સંસ્કૃતિ નાં મુળભુત ઇતિહાસ માં આપણે જઇયે તો "ધર્મ" એ સમાજ નાં બંધારણ નો પાયો નાખ્યો "
હવે એ બાબત ને આગળ તાર્કિક રીતે વિચારીયે
માણસે શું કરવુ શુ ન કરવું એનાં પરિમાણો નક્કી થયા અને ત્યાં થી મુળભુત સંસ્કૃતિ નો ઉદભવ થયો સમયાંતરે બૌધ્ધિકો ને એમાં શુ કરવું અને શું ન કરવુ બાબતો એ મતભેદ લાગ્યા હશે તો અલગ અલગ ધર્મો ની સ્થાપના ઓ થયી અને જે લોકો ને એમની વિચારસરણીઓ માફક આવી અથવા ગમી એ લોકો એનાં અનુયાયીઓ બન્યા અને ધર્મો વચ્ચે વાડાઓ ઉભા થયા સમયાંતરે એમાં પણ કુરિવાજો અને કુ- પ્રથાઓ દુર કરાવતા બૌધ્ધિકો પણ આવ્યા અને એ રીતે ધર્મ ની રીતે સમાજ મજબુત બને અને સમાજ ને સાચી સમજ કેળવાય એના માટે ધર્મો અત્યાર સુધી પ્રયાસો કરતા જ આવ્યા છે

ભારતિય મુખ્ય ધર્મ માં ચાર વર્ણ અને વર્ણ મુજબ કર્મ કરવા એવી માન્યતા આજનાં જમાના માં
આપણા દેશમાં લગભગ નહીવત થવા બેઠી છે ભારત માં લોકશાહી ની સ્થાપના પછી એનાં મુલ્યો માં સુધારા વધારા પણ થતા જ આવ્યા છે અને બૃહદપણે આ પ્રણાલિકા નો અંત આવી ચુક્યો છે અને જો નહીવત પ્રમાણ માં હશે તો એનો અંત પણ નિશ્શિત છે જ !! કેમ કે લોકશાહી માં આ પૌરાણિક પ્રથા ઇતિહાસ બની ચુકી છે કેમ કે
ઇતિહાસ નાં પાના ઉથલાવો તો ખ્યાલ આવશે

કે કેટલાયે મહાનુભાવો થયી ગયા જેમણે રેશનાલિઝમ નાં કામો આજ થી વર્ષો પુર્વે કર્યા અને એ પણ ધાર્મિકતા જાળવી રાખી ને (નાસ્તિક ન બની ને ) ......... હવે એબધા ને આપણે ટુંક માં જોઇશું

૧ - રાજા રામમોહન રાય - જેઓ એ ભારતિય પુન:જાગરણ અને સામાજીક સુધાર આંદોલનો નાં પ્રણેતા ગણવામાં આવે છે સમાજ માં થી કૃર સતીપ્રથા નો વિરોધ અને ‘સન્માર્ગ ગ્રહણ કરી એકેશ્વરવાદ(ધર્મો નાં વાડાઓ તોડી ને એક જ ઇશ્વ્રર) નો પ્રચાર (અઢારમી સદી)
૨ - રામકૃષ્ણ પરંમહંસ - જીવદયા અને જીવ સેવા ના પ્રણેતા
૩- સ્વામિ વિવેકાનંદ - રામકૃષ્ણ પરંમહંસ નાં શિષ્ય જેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના દ્વારા જીવદયા, અંધશ્રધ્ધા નિવારણ/ મુર્તિપૂજાનો વિરોધ અને સમાજકલ્યાણ ના કાર્યો કર્યા સાથે ચાર વર્ણ માટે સમાનતા ના મુલ્યો માટે એક આદર્શ બન્યા (અઢાર મી સદી )
૪- મહર્ષિ દયાનંદ સરસ્વતિ - મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મંદિરો માં થતા પશુબલિનો વિરોધ, બુરખા/ઘુંઘટ પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. (અઢાર મી અને ઓગણીસ મી સદી )

હવે ઇતિહાસ માં એથી પણ ખુબ આગળ જઇયે ...ચોથી સદી માં મૌર્યકાળ માં ચાણક્ય નાં સમાજવાદી નીતી શાસ્ત્ર માં જ્યાં રાજા/પ્રધાનો / મંત્રીઓ એ સામાન્ય જીવન જીવવુ અને પ્રજા ને સુખરુપ જોવી દરેક ને નાત/જાત નાં ભેદવગર શિક્ષણ નો અધિકાર સમાન પ્રજાતંત્ર લક્ષી રીતે બૌધ્ધિકો ને ઉચ્ચપદ જે ચાણક્ય ની "સંસ્કૄત ભાષા માં લખાયેલી "કૌટીલ્ય નિતી" માં ઉલ્લેખો જોવા મળી શકે છે
આ વાત થયી માનવી એ ઇસવી સન ગણવાની શરુઆત કરી ત્યાર થી અત્યાર સુધી ના ઇતીહાસ ની ..........
આ લોકો સાચા અર્થ માં "રેશનાલીસ્ટો " હતા કે નહી ??? શુ તેઓ નાસ્તિક હતા?? શા માટે આસ્તિક હતા શું ઇષ્વર પ્રત્યે ની શ્ર્ધ્ધા તેઓ નો અંધવિશ્વાસ હતી ?
માનવી ઉત્તરોત્તર બૌધ્ધિકતા પ્રગતી જ કરતો આવ્યો છે

જ્યાં રેશનાલીઝમ ને સંપુર્ણ પણે " વૈજ્ઞાનિક" ગણી લેવાયું ત્યાં નાસ્તિકતા નો પ્રચાર પ્રસાર પણ શરુ થયી ગયો ( વિજ્ઞાન ને પણ આગળ નાસ્તિકતા નાં સંદર્ભ મહત્વ નાં પુરાવા અને સ્ત્રોત્ર સહીત માં આ પછીનાં એક લેખમાં જોઇશું)
જે લોકો પોતાને આધુનિક "રેશનાલીસ્ટ" ગણાવે છે નાસ્તિકવાદ માં રાચે છે અને એ દ્વારા પોતાને રેશનાલીસ્ટ ગણાવે છે એ લોકો માટે આ ઐતિહાસિક પાત્રો નો અભ્યાસ કરવો રહ્યો

"પ્રાંત, ધર્મ, જાતી વગેરેના ભેદભાવ અર્થહીન છે. જ્યાં સુધી મનમાં અને આચરણમાં આવા ભેદભાવ હોય, ચમત્કારમાં માનતા હોઈએ ત્યાં સુધી રૅશનાલીસ્ટ ન થવાય."

હવે આવા જ ભેદભાવો વિરોધ માં અને સુ-આચરણ નો પ્રચાર પ્રસાર જો ઇતિહાસ માં ના મહાનુભાવો એ કર્યો હોય તો એમને સાચા રેશનાલિસ્ટ કેમ ન ગણવા ...??
અને એમને જો સાચા રેશનાલિસ્ટ ગણવા માં આવે તો રેશનાલીઝમ માં નાસ્તિકતા નો પ્રચાર પ્રસાર શા માટે કરવો ??????

જે લોકો "રેશનાલિઝમ" ને નાસ્તિકતા સાથે સરખાવે છે એમણે ઉપરોકત ઇતિહાસ નાં પાના ઓ વિસ્તૃત રીતે ઉથલાવવા જરુરી બને છે

હવે આપણે પાછા વળીયે છીયે રેશનાલીઝમ ની વાત પર કે જ્યા પણ રેશનાલીઝમ ની વાત થાય ત્યાં
"ધર્મ" બાબત થોડી લોકશાહીની ‘સ્વતંત્રતા’ તેમ જ ‘સમાનતા ની સાપેક્ષ માં જોઇયે તો
બિનસાંમ્પ્રદાયીક દેશ માં આપણે આપણે આપણા પોતાના ધર્મ ને ઉઘ્હાડો પાડી શકીયે છીયે પણ બીજાઓ ને એમનો ધર્મ ખોટો છે એમ કહેવુ એ અથવા આસ્તિકો ખોટા છે એમ કહેવું એ સંસ્કૃતિ નાં સંદર્ભ માં ઉંડા ઉતર્યા વગર નૈતિકતા ની વિરુધ્ધ ગણાશે


ક્યારેક વધુ પડતા વિચારશીલ બની ને અથવા એમ કહી શકાય કે પોતાને વધુ પડતા "રીઝનીંગ" થયી ગયા પછી ક્યારેક કોઇ શબ્દ અથવા વ્યક્તિઓ અથવા બીજી વ્યક્તિઓ જેઓ રેશનાલીઝ્મ નો વિરોધ કરે ત્યારે

રેશનાલીઝમ અંગે
૧-અધુરુ જ્ઞાન / પુરતી સમઝ નો અભાવ ..///

કહેવાતા નાસ્તિકો જેઓ પોતે પોતાને રેશનાલીસ્ટો તરિકે ઓળખાવે છે તેઓ હજી રેશનાલીઝમ ની વાખ્યા કરવા ની ઉલઝન માં પડ્યા છે... રેશનાલીઝમ ને લગતા કેટલાય પુસ્તકો માં કે લેખો માં એ વાંચી શકાય છે અને તેઓ ને એમ ટાંકતા પણ જોઇ શકાય છે કે આ રેશનાલીઝમ હજી એક ઉગતો વિચાર છે

નાસ્તિકતા //////

આ દ્વીધાઓ ની પરાકાષ્ટા બાબતે વાત કરીયે તો ઇન્ટર્નેટ નાં માધ્યામ તેમજ પ્રત્યક્ષ રીતે જે "રેશનાલીઝમ" ની વાતો ચાલે છે એનું વાંચન કર્યા પછી જાણાયું કે
રેશનાલીસ્ટ કોને કહી શકાય અથવા રેશનાલીઝ્મ ને "ફોલો" કરવુ (અનુસરવું) એ શું છે ?

રેશનાલીઝમ માં વાસ્તવિકતા વાદ અને વધારે મહત્વ આપી ને માનવીય સંસ્કૃતિ નાં મુળભુત બંધારણ ના પાયા ને (ધર્મ) ને નિશાન બનાવી ને નાસ્તિકતાનો પ્રચાર કરાઇ રહ્યો છે સંસ્કૃતિ માં રહેલી બિનજરુરી બાબતો ને રદીયો આપવાને બદલે માનવીય સંસ્કૃતિ ને જ રદીયો આપવા માં આવી રહેલો જણાય છે
જ્યાં કેટલાંક બૌધ્ધિકો ખરેખર એ પાયા ને સ્વીકારી શક્યા છે અને એમના લેખ માં પણ ટાંકતા જોવા મળે છે કે ધર્મ ને સાથે રાખી ને સમાજ માં થી અંધશ્રધ્ધાઓ દુર કરવી તેઓ સાચા અર્થ માં "બુધ્દિવાદીઓ તરીકે નજરે ચડે છે અને કેટલાક ફક્ત નાસ્તિકવાદ ને પોષી રહ્યા છે


લેખનકળા નો દુર-ઉપયોગ
===================

આધુનિક રેશનાલીસ્ટો નાં કેટલાક લેખો અને લેખન સામગ્રી વાંચી તો કહેવાતા તત્વચિંતકો/બૌધ્ધિકો ની નવાઇ પમાડે એવી લાગે છે ... એ વાત ને હું અહિયા "Reasoning," ની રજુઆત કરીશ કેમ કે "રેશનાલીસ્ટો" ના મતે એમને સમજાવવા માટે કોઇ પણ ચર્ચા છેડી દો ત્યારે એ લોકો અચુક રીતે આપને "તર્ક-વિતર્ક" દ્વારા ચર્ચા માં ઉતરશે ને જે તે ચર્ચાઓ થકી નિકળતા નિષ્કર્ષ ને અનુસરવા માટે અથવા દલીલ ને માનવા માટે વૈજ્ઞાનિક પુરાવા ઓ માગશે
એ વાત અલગ છે કે જ્યારે એ લોકો સમગ્ર સિસ્ટમ ને ખોટી પુરવાર કરવા માટે ફક્ત તર્ક નો સહારો લેશે
ચાલો એક ઉદાહરણ જોઇયે
એ લોકો કોઇ પણ પૌરાણીક બાબતો માં વિષ્વાસ નહી કરે ....///// કેવી રીતે ?? જોઇયે

દરેક ધર્મો એક શક્તિ માં માને છે અને એ "શક્તિ" એ Power ( ધાર્મિક રીતે સાર્વજનિકતા ના આધાર પર જોઇશું ઇસ્લામ માં અલ્લાહ , ખ્રિસ્તિ ઓ માં -ગોડ કે આર્ય ધર્મ માં -ભગવાન )

એ પાવર ને આધુનિક રેશનાલીસ્ટો/નાસ્તિકો પ્રકૃતિ માં ખપાવશે
સુર્ય , અગ્નિ , જળ , વાયુ , જમીન , નદી , સમુદ્ર બધુ પ્રકૃતિ છે
શક્તિ/ ઇષ્વર જેવું કશુ અસ્તિત્વ માં નથી અને જો હોય તો પુરાવા માંગશે.... ભલે પોતે અસ્તિત્વ માં છે એ માટે નાં પોતાના પુર્વજો નાં પુરાવાઓ ન હોય કે ચાર પેઢી પહેલાં નો પોતાનો પુર્વજ કોણ છે ....////

ઇષ્વર હોવાની વાત ને રદીયો આપી ને ઇષ્વર હોવાની શ્રધ્ધા ને પણ અંધ -શ્રધ્ધા ગણાવી ને
પુરાવાઓ ની હોડ માં આવી જઇ ને આવનારી પેઢી બાપ ની ઓળખ માટે DNA ટેસ્ટ કરાવી ને ઓળખ કરે એ દિશા એ આપણે સમાજ ને લઇ જવાનો છે ??
જે સંસ્કૃતિ માં મા-બાપ ને જન્મદાતા, ભગવાન તરીકે ની ભાવના ઓ જોડાયેલી છે એ સંસ્કૃતિને પાશવી બનાવી ને નીચલી કક્ષાએ લઇ જવાનાં ઉદેશ્યો છે નાસ્તિકતા ના ?

હવે થોડા આગળ વધીયે કરીયે શ્રધ્ધા અને અંધ-શ્રધ્ધા ના સાપેક્ષ માં બિલકુલ વૈજ્ઞાનિક રીત ને અનુસરીને જ .....///////
વિજ્ઞાન ના થોડા અલગ અંદાજ માં મનો- વિજ્ઞાન નું સંકલન કરી ને કેમ કે સવાલ પુરાવાઓ નો છે ......

આધુનિક ગણાતા રેશનાલીસ્ટો શ્રધ્ધા અને અંધશ્રધ્ધા નો ભેદ પણ નથી પારખી શક્યા ઘણા બધાં લેખો વાંચ્યા પછી એ લોકો ને શ્રધ્ધા અને અંધશ્રધ્ધા બન્ને વસ્તુ પર એક જ વાત પર આવી ગયા કે બન્ને એક જ વાત છે ક્યાંક કોઇક કોમેન્ટસ માં અને એક પીડીએફ ફાઇલ (મેગેજીન) માં... સ્વામિ સંચ્ચિદાનંદ જી હથિયાર ધારણ કરી ને સુચવે છે કે એમને પણ શ્રધ્ધા નથી કે ઇષ્વર એમનુ રક્ષણ કરશે ........... એવું વાંચવામાં આવ્યું કે ઇષ્વર પ્રત્યે શ્રધ્ધા એ પણ અંધશ્રધ્ધા જ છે........ લેખન કળા નો દુર-ઉપયોગ કરી ને નાસ્તિકતા નાં પ્રચાર માટે ઉદાહરણો બેસાડવા માટે ગમે તે લખી શકાય પણ એની ભીતર માં શુ છે એ જાણવુ અંત્યંત જરુરી છે ..
સાચા અર્થ માં કહુ તો એમણે સમાજ ને સુત્ર પણ આપ્યું છે કે "વીરતા પરમો ધર્મ" ...!!!! વીરતા પહેલો ધર્મ છે પોતાની રક્ષા કરવા પોતે વીર બનવું

ખરેખર કોઇ નાં પણ જીવનચરિત્ર નો અભ્યાસ કર્યા વગર નુ વિધાન મેગેજીન માં લખી નાખ્યુ એ લખનાર આધિનુક રેશનાલીસ્ટ ને ખ્યાલ નહી હોય કે સચ્ચિદાનંદ જી એ સમાજ કલ્યાણ ના કેટલા કાર્યો કર્યાં અને ગુજરાત ભર માં કેટલી જગ્યા એ એમના સમાજકલ્યાણ માટે કેન્દ્રો ખોલ્યા છે અને તેઓ શ્રી ઇતિહાસ મા થયી ગયેલા ( ઉપર ઉદાહરણો માં પાંચ મહાનુભાવો) ની પગદંડી પર ચાલનારા વ્યક્તિત્વ ની ઉત્તમ મિશાલ છે તેઓ શ્રી એ સમાજીક ઉત્થાન માટે શૈક્ષણીક ક્ષેત્રે/આરોગ્ય ક્ષેત્રે/જીવદયા ક્ષેત્રે કેટલા મોટા પ્રમાણ માં યોગદાનો (આર્થિક રીતે પણ )આપ્યા છે એનો ખ્યાલ છે ????? મારી પાસે સોર્સ પણ છે (જેઓ દાન માટે ક્યારેય કોઇ ની ચાપલુસી કે ઢોંગ વૃતિ કરતા નથી જોવાયા) રક્તદાન શિબિરો દ્વારા હજારો લોકો નાં જીવન રક્ષણ જેવા સમાજવાદી મહાયગ્નો કરે છે
(એમનો મુખ્ય આશ્રમ આણંદ જીલ્લા નાં પેટલાદ નજીક દંતાલી ગામે છે ફક્ત ત્યાં જ નહી ગુજરાત ભર માં ચારેક જેટલાં સમાજસેવી સેવાકેન્દ્રો પણ ખોલ્યાં છે એ સિવાય વિષ્વનાં અનેક દેશો ની મુસાફરી કરી ને સેવાજ્યોત દ્વારા સામાજીક સેવા જ્યોતદ્વારા માનવતાવાદ ને પ્રકાશિત કરી રહ્યા છે)
તે સિવાય તેઓ એક ઉત્તમ કક્ષા નાં લેખક પણ છે

બીજી વાત આ આધુનિક ગણાતા રેશનાલીસ્ટો એ નાસ્તિકવાદ ફેલાવવા સિવાય શૈક્ષણીક ક્ષેત્રે/આરોગ્ય ક્ષેત્રે/જીવદયા ક્ષેત્રે કેટલા મોટા પ્રમાણ માં યોગદાનો આપ્યાં અને કઇ કઇ રીતે આપ્યાં એ જાણવા આતુરતા પણ છે

વડોદરા થી આશરે ૩૦ કીમી દુર વાઘોડીયા નજીક એક મહાત્મા આવ્યા જેમણે માનવીય સેવા કાર્યો ની શરુઆત કરી શરુ મા લોકો ને જડીબુટ્ટીઓ આપી ને સેવાકીય યજ્ઞ નો આરંભ કર્યો ધીમે ધીમે એ વિસ્તરતો ગયો લોકો ત્યાં દાન આપતા ગયા અને એ યજ્ઞ મહાયજ્ઞ બની ને આજે સેવાકાર્યો કરી રહ્યો છે કે આજે એ સંસ્થા ભારત ભર માં કેન્સર ની ટ્રીટમેન્ટ આપતી ખ્યાત નામ હોસ્પીટલો માં એક ગણાય છે જ્યાં હજાર થી ઉપરાંત બેડ ની અધ્યતન મેડીકલ સેવાઓ આપતી એક મહાકાય સંસ્થા બની ચુકી છે જ્યાં લોકો કરોડો નું દાન આપે છે અધ્યતન મેડીકલ સેવાઓ ઉપરાંત માનસિક બિમારો અને સમાજ દ્વારા ત્યજેલા માનવીઓ જ નહી પણ જીવદયા ક્ષેત્રે મુંગા પશુ ઓ માટે સેવાકેન્દ ચાલી રહ્યું છે જે "મુનિ-આશ્રમ" તરીકે જાણીતું છે
જ્યાં સેવા યજ્ઞ થી અભિભુત બની ને કરોડપતી ઓ (ચરોતર અને સાઉથ ગુજરાત નાં NRI) પણ પોતાની ઓળખ આપ્યા સિવાય પોતે આર્થિક રીતે સેવાયજ્ઞ માં જોડાયા છે એટલું જ નહી જીવદયા ક્ષેત્રે શારિરીક સેવાઓ જેવી કે ઝાડું વડે સફાઇ કરવી પશુ ઓ ની સેવા વગેરે માં પોતાના યોગદાનો આપી રહ્યા છે
આવી આખા વિષ્વ માં નજર કરીયે આપણી આસપાસ નઝર કરીયે લાખો સંસ્થાઓ દેખાશે
આવા ભાગીરથ કાર્યો કરનાર મહાનુભાવો ને ઇષ્વરીય શ્રધ્ધા બાબત નો દાખલો બેસાડી ને અંધશ્રધ્ધા કહી શકાય ?
બલકી એમની સાચી ઇષ્વરીય શ્રધ્ધા એ જ છે કે જેઓ પોતાના કર્મો માં સફળ બન્યા છે

સંસ્કૃતિ (ધર્મ) એ સમાજ ને શું નથી આપ્યું ?? લાખો સમાજસેવી સંસ્થાઓ લાખો મહામાનવો આપ્યા છે જે સમાજ ને માનવતાવાદ તરફી લઇ જઇ રેહેલાં છે પાંચ-પંદર ધુતારાઓ ધર્મ નાં નામે ધતિંગ કરતા પકડાયા હોય તો એમને વખોડવા જોઇયે પણ એને લીધે આખી સંસ્કૃતિ ને ગાળો દેવી એ કેટલાં અંશે વ્યાજબી બને છે ?

આર્ય સંસ્કૃતિ માંસાહાર ને વર્જ્ય ગણાવે છે એ શા માટે ગણાવે છે એનાં અનેકો કારણો ... ભારત ખેતીપ્રધાન દેશ છે પુષ્કળ પ્રમાણ માં પાકતું ધાન જો એને કોઇ નહીં ખાય તો ભારતીય અર્થવ્યવસ્થા નું શું ?? આવું તો દુનિયાભર ની સંસ્કૃતિ ઓ નાં અબ્યાસ કરવા માં આવે તો ખ્યાલ આવી શકે કે સંસ્કૃતિ માં કેટલું "ઉંડાણ" છે


નાસ્તિકો ચર્વાક નાં વખત થી માનવીય સમાજ માં અસ્તિત્વ ધરાવે છે એમણે આ બધાં ક્ષેત્રો એ કેટલાં યોગદાનો આપ્યા ?
જ્યારે ઇષ્વરીય સ્વીકૃતી લક્ષી મહામાનવો બે-ચાર કે પાંચ નહી લાખો ની સંખ્યા માં આજે પણ છે અને એમનાં યોગદાનો વિશ્વભર માં સંસ્થાઓ દ્વારા મોજુદ છે

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા :
================

શ્રધ્ધા : કોઇને હાનિ ન પહોંચે એવા સ્વાર્થી કે નિશ્વાર્થ કલ્યાણકારી કાર્ય માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇષ્વર ,વ્યક્તિ યા પ્રણાલિકા ઉપર આસ્થા અથવા વિશ્વાસ

અંધશ્રધ્ધા : પોતાના સ્વાર્થ માટે કોઇપણ ભોગે અથવા અનર્થ ને પણ આવકારતી કાર્ય શૈલી માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇષ્વર, વ્યક્તિ યા પ્રણાલિકા પર મુકાતો આંધળો વિશ્વાસ

હવે મુખ્ય મુદ્દા પર આવીયે ક્યાક એમ પણ વંચાયુ કે આપણે નારિય઼ેળ ફોડો તો એ શ્રધ્ધા અને કોઇ આદિવાસી એના દેવી દેવતા ને બકરા નો બલિ આપે એ અંધશ્રધ્ધા...////
અથવા આપણે પાંચ રવિવાર દેવ દર્શને જઇયે એ બાધા એ શ્રધ્ધા અને કોઇ ભુવા પાસે જાય એ અંધશ્રધ્ધા....//////

મતલબ કે બંન્ને વાત ને એક જ રીતે જોઇ લેવાઇ કેમ કે આપણી સંસ્કૃતિ નાં એટલા બધા આયામો છે અને આપણી સંસ્કૃતિ બહુપારિમાણ્વીય છે કે દરેક વસ્તુ ની વાખ્યા કરવી એ અશ્કય થયી ગયુ છતાં જો ઉંડાણ માં ઉતરી જાઓ તો એની પરફેક્ટ ડેફીનેશન અવશ્ય મળશે પણ એ માટે પોતાના વાદ મુજબ જ તટસ્થ બનવુ પડે
જેવી રીતે રેશનાલીઝમ ના પ્રચાર પહેલાં રેશનાલીઝમ નો સ્વીકાર કરવો પડે છે. આપણે જાતે રૅશનાલીસ્ટ બનવું પડે છે ઓફકોર્ષ એવી જ રીતે .../////

તથા શાપ અને આશિર્વાદ ને મનો વિજ્ઞાન સાથે સાંકળવા નો પ્રયાસ કરીય઼ે

કોઇ નુ આપ ભલુ કરો એટલે એનું હદય આપણ ને આશિર્વાદ હવે એ આપણ ને ફળે કે નહી અથવા કોઇ નું બુરુ કરી નાખીયે તો એનો શાપ આપણૂ કશુ બગાડે કે નહી
ચાલો એ વાત નુ થોડુ ડીસ્કશન કરીય઼ે
રેશનાલીસ્ટો જેઓ નાસ્તિકતા માં રાચે છે આ વાત માં જરા પણ ભરોષો નહી કરી શકે કેમ કે એ લોકો વૈજ્ઞાનિક પુરાવાઓ નો આધાર લેશે તો એમને અહીય઼ા મારી સમજ પુર્વક મનો-વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ આપવાની કોશિષ કરીશ

આપ કોઇ નુ ભલુ કરો એટલે એ "આશિષ" દેશે અને એ આશિષ થી ભલે ભલુ કરનાર નુ ભલુ થાય કે નહી પણ એનુ મન શુધ્ધ અને સુવિચારિત ભાવનાઓ થી તૃપ્ત થશે
અને એ દ્વારા એ વ્યક્તિ પોતાની ચારેય તરફ ભલાઇ નુ જ અને સંતૃપ્તિ નુ સમાજ તરફી મુલ્યાંકન કરશે અને પોતે પણ એવો બનશે એ નક્કી એ દ્વારા સમાજ માં ભલાઇ નો ફેલાવો થશે
એવુ જ સામા પક્ષે બુરાઇ થી મળતા શ્રાપ નુ છે એનાથી સમાજ માં બુરાઇ / ગંદકીઓ ફેલાશે જેની સાથે બુરાઇ થયી છે એ માનવી બીજા લોકો સાથે બુરાઇ કરવા ની ભાવના થી પીડાશે અને એ વ્યક્તિ સમાજ ને ગંદો બનાવા ની કોશિશો માં રત થયી જશે ............આ છે મનો-વિજ્ઞા્ન ......////// જેના પુરાવાઓ આજ સુધી ની થિસીસો આપી શકે છે

જો શ્ર્ધ્ધા નહી હોય તો વિશ્વાસ નહી હોય અને વિશ્વાસ નહી હોય તો પ્રેમ નહી હોય અને પ્રેમ નહી તો માનવીય જીવન નાં મોટાભાગ નાં જે વ્યવહારો ચાલે છે એ કેમ ટકી શકશે ?


=====================================================================================================
(અનકોન્શિયસ માઇન્ડ, લેખક -સિગ્મંડ ફ્રાઇડ (જેઓ ને માનસશાશ્ત્ર ના પિતામહ ગણવામાં આવે છે)
માનવીય મન બાબત ને સાંકળતી આવી બધી કડીઓ માટે મનો-વિજ્ઞા્ન નો અભ્યાસ એ લોકો ને જરુરી માહીતી આપી શકશે
============================================================================================

દુષ્પ્રચાર ???

કહેવાતા "રેશનાલીસ્ટો" લોકશાહી નાં સમાન હક્કો ને ટાંકી ને ફક્ત અને ફક્ત આર્ય ધર્મ નો જ દુષ્પ્રચાર કરી રહ્યા છે કોઇ ની તાકાત છે ઇસ્લામ કે કેથોલીક પ્રત્યે આંગળી ચિંધી શકે ????? જેવી રીતે આર્ય ધર્મ માં કુરિવાજો હોવાનુ ટાંકી ને પોતે નવી વિચારશૈલી વાળા બને છે એમંણે પોતાના સિવાય નાં ધર્મો અંગે કેટલો અભ્યાસ કર્યો બીજા ધર્મો પ્રત્યે ની એમની કુરિવાજો પ્રત્યે ની માનવતા ની લાગણી ક્યાં ગયી ?? શુ એક જ ધર્મ દ્વારા આખો માનવીય સમાજ સંચાલિત થયી રહ્યો છે ??
વિષ્વ કક્ષાએ જુઓ વિષ્વ નાં મુખ્ય ધર્મો સામે તો ભારતિય મુખ્ય ધર્મ એક ટકા જેટલો પણ નહી હોય શુ એ ધર્મો માં કોઇ ખોટી બાબત ખોટી નથી ?? શુ વિદેશીઓ પોતાના ધર્મ નાં પ્રચાર પ્રસાર માટે "સિક્રેટ મિશનો" નહી ચલાવી રહ્યા હૌય ?? શુ આવા કિસ્સા ઓ ભારત માં નથી બન્યા ? એ જોવા ની તસ્દી લીધી ??
જો સામાજીક જ માનવતાવાદી વિચાર ધારાઓ તેઓ ચલાવે છે તો આ માટે એ લોકો એ શુ કર્યુ ?? અને કર્યુ ભલે નહી હોય ટીકા-ટીપ્પણી ઓ કેટલી આપી ??? ભારતિય આર્ય-ધર્મ વિરોધી ધર્મ ગંર્થોં વિરોધી બાબતો પરથી શીખ લેવા ને બદલે એની ત્રુટી ઓ શોધી નાખી અને કરવા માંડ્યા (દુષ)પ્રચાર .............છે હિંમત તેઓ ના માં કે અન્ય ધર્મ નાં ધાર્મિક ગંર્થો માટે કાઇ ગ્રંથ વિરોધી પ્રચાર પ્રસાર કરી શકે ???? અહીયા હુ ધાર્મિક બની ને નહી પરંતુ તટસ્થતા નાં મુલ્યો ની વાત કરુ છું

ધાર્મિક વિચારધારાઓ માં પડેલાં દુષણો માટે આજ થી નહી સ્વામિ વિવેકાનંદ કે રાજા રામમોહનરાય જેવા મહાનુભાવોએ અઢાર મી સદી થી સાફ સફાઇ નાં અભિયાનો પ્રસ્થાપિત કરેલા છે અને એનાં પરિણામો આજ ની પેઢી ભોગવી જ રહી છે

ક્યારેય કોઇ નાસ્તિક સંસ્થાઓ દ્વારા કોઇ પણ સામાજીક કર્યો કરતી સંસ્થાઓ ની શરુઆત થયી છે???? કેટલી સફળતાઓ મળી ? હોય તો બતાવો ...
ફકત અને ફ્કત સામાજીક દુષપ્રચાર નાં અને સમાજ ને નીચસ્લી કક્ષાએ લઇ જવાનાં કાર્યો કરે છે એ લોકો કેમ કે એ લોકો માટે કોઇ પણ કાર્ય સારુ કે ખરાબ નથી અથવા સત્કૃત્ય અને દુષ્કૃત્ય (પાપ અને પુણ્ય) ની વાખ્યા એ લોકો માટે એક થયી પડી છે જ્યાં વ્યાખ્યા જ એક થયી પડે ત્યાં માનવી દુરાચર કરતો ક્યાય ના અટકી શકે
જ્યારે આસ્તિક લોકો દ્વારા બનેલી લાખો સંસ્થાઓ સામાજીક કાર્યો અવિરત પણે કરે/થયી જ રહ્યા છે
માનવ સમાજ માં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતિ અને એવાં અગણિત ભારતિય મહાનુભાવો એ આખા વિશ્વ માં ડંકો વગાડ્યો છે અને રામકૃષ્ણ મિશન આજ ની તારિખે પણ અવિરત સામાજીક કાર્યો માં પ્રવૃત છે
સાચા રેશનાલીસ્ટો તો એ હતા જેમણે સમાજ ને સાચો માર્ગ બતાવ્યો !!! જે લોકો સાચા આર્થ માં ગ્રંથો નાં ગુઢાર્થો ને સમજી શક્યા પચાવી શક્યા અને સમાજ ને કુરિવાજો થી બચાવ્યો ..../ સમાજ ને માનવીય જીવન ને બિનજરુરી ધાર્મિક બાબતો માં થી કાઢી ને નવા જીવનધોરણો શિખવ્યા !!!

નાસ્તિકવાદ ને આગળ ધપાવવા માટે

ગૌતમ બુધ્ધ ના ક્વોટ નો ઉપયોગ
"હે લોકો,હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,"
–ગૌતમ બુદ્ધ

ક્યાક ક્યાંક આવા ક્વોટ વંચાયા જ્યાં બૌધ્ધધર્મ જે નાસ્તિકતા ને અનુસરતી એ વિચારધારા ભારત માં કેટલી ચાલી ??

અને વિજ્ઞાન જાતે જ ઇષ્વરીય શક્તિઓ માં શ્રધ્ધા રાખતું હોય ( આગળ નાં આર્ટીકલ નાં સ્ત્રોત્ર સહીત) તો ઉપરોક્ત ક્વોટ મુજબ જ નાસ્તિકતા ને અનુસરવું એ શું "બુધ્ધિવાદ" છે?

જે લોકો એ તે સમય માં એ નાસ્તિકતા અપનાવી ત્યારે સમાજ ને માનવતાવાદ તરફી લઇ જવા ને બદલે શુ બન્યું એનાં અનેક સાધુ ઓ અને સાધ્વીઓ એ શુ લીલાઓ કરી ચર્વાક નાં સિંધ્ધાંતો મુજબ જ બિલકુલ એશો આરામ ખેર નાસ્તિકતાવાદ નો પ્રચાર પ્રસાર કરનારી પુસ્તિકાઓ માં તો ચર્વાક નાં ઇષ્વર ના હોવાના જ ક્વોટ નો ઉપયોગ કરાયો પણ ખરેખર એ (ચર્વાક ની વિચારધારા : ખાવુ પીવુ અને આંનદ પ્રમોદ માં રાચવું ) ઇષ્વર છે જ નહી તો મઝા કેમ ના કરવી ?? એમના માટે સત્કર્મ અને દુષ્કર્મ એક જ વ્યાખ્યા હતી અને એજ વાખ્યા બૌધ્ધધર્મી ઓ માં લાગુ પડી ગયી અને અંતે સમાજ માનવતાવાદ ને બદલે અફડાતફડી અને અંધાધુની માં રાચવા લાગ્યો (કેમ કે માણસ જાત કાયદાઓ નાં બંધન માં હોવા છતાં જો દુષ્કૃત્યો કરી શકે છે) અંતે ધાર્મિક પ્રચાર પ્રસાર બંધ થયો ( બૌધ્ધધર્મ માં અહિંસા ની હિમાયત કરાઇ પણ નકારાત્મક અભિગમ દુષ્કૃત્યો સુધી લઇ ગયો અને એનો જીર્ણ થયો શું નિકળ્યું એમાં થી ?? સમાજ ને માનવતાવાદ ને બદલે દુષ્કર્મો પ્રત્યે ખેંચી ગયો એનું મુખ્ય કારણ જ નાસ્તિકતા / નકારાત્મક અભિગમ ...!!

ચર્વાકવાદ : ભૌતિકવાદી વિચારધારા જે દેખાય એને માની શકવાની વૃતિ અને નાસ્તિકતા
यावज्जीवेत सुखं जीवेद ऋणं कृत्वा घृतं पिवेत,भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥
-ચર્વાક
આ વિધાન છે ચર્વાક નું ..... અર્થાત .... જ્યાં સુધી જીવવું બસ સુખે થી જીવવું જો આપણી પાસે સુખ નાં સાધનો નથી તો ઉધાર લઇ ને પણ મોજ કરવી ( દેવુ કરીને પણ ઘી પીવુ) એ સિવાય અર્થ-શાસ્ત્ર અને કામ-શાસ્ત્ર માં જ માનવું જેના થી મોજ મળે .... આવી હતી ચર્વાક ની વિચારધારા કે મોજ માટે કાઇ પણ કરતાં ખચકાવુ નહી ....શુ આ વિચારધારા માનવીય જીવન ને સમાજવાદી કે માનવવાદી બનાવી શક્યું હતું ?? કે વ્યાભિચારી ?? શું બન્યુ /? અને એનો ઇતિહાસ માં કેવો અંત આવ્યો હતો ?
આવાં નકારાત્મક અભિગમો નો લેખનશૈલી દ્વારા ઉત્તેજન આપી ને આપણે સાચા બુધ્ધિવાદી બનવા જઇ રહ્યા છીયે કે વ્યાભિચારવાદી અથવા નકારાત્મકવાદી ??

=============================================================================================================

એ સરસ ક્વોટ ગૌતમ બુધ્ધ દ્વારા લખાયેલો જો વિજ્ઞાન એની મર્યાદાઓ ને માની ને "ઇષ્વરીય઼ શક્તિ" નાં પરિમાણ માં વિષ્વાસ કરતું હોય તો ( હવે પછી નાં આર્ટીકલ માં સવિસ્તાર ) બુધ્ધિવાદી તરીકે નાસ્તિક શું કામ બનવું આસ્તિકો એ માનવકલ્યાણ નાં કામો કર્યા જ છે અને એ આખા જગત માં વ્યાપ્ત છે

બૌધ્ધ ધર્મ અનુસાર : સાચો ધર્મ એ છે જે પ્રજા નુ કલ્યાણ કરે બધા માટે જ્ઞાન ના દ્વાર ખોલી કાઢે જે ધર્મ એ સમાનતા નાં મુલ્યો ,કરુણા, સહનશીલતા અને મૈત્રી ને સમજાવી શકે અને કર્મો સર્વસ્વ બને .

ભૌતિક રીતે બધી જ વાત નૈતિકતા ની હતી ને ? પણ નાસ્તિકતા કેવા પ્રકાર ની વ્યાભિચારીતા તરફ દોરી ગયી અને અંતે એનો કરુણ અંજામ આવ્યો !!

આધુનિક નાસ્તિકતા ફેલાવતા રેશનાલીસ્ટ
"અનુયાયી ન બની ને જાતે જ પ્રમુખ બનવાની વાતો ની શીખામણ માં ક્યાંક એવુતો નથી ને કે તેઓ આવી ભ્રામક વાતો ફેલાવી ને લોકો ને પોતાના અનુયાયી બનાવવા ની ચેષ્ટા કરે છે !!!
સંસાર નો ઇતિહાસ સાક્ષી છે અને દેખીતી વાત પણ છે કે બધાં જ લોકો પ્રમુખ ના હોઇ શકે !!

ધર્મો નો વિરોધ અને નાસ્તિકતા ના પ્રચાર માટે જાતજાત ના ઉદાહરણો શું આખા જગત માં યુધ્ધો ફક્ત ધર્મો માટે જ થયા છે ?
પાછળ ના ૧૦૦/૨૦૦ વર્ષ માં જગત નાં કેટલા યુધ્ધો ધર્મો માટે થયા ? પાછલા બે હજાર વર્ષો ના ઇતિહાસ માં જુઓ દરેક યુધ્ધો શેના માટે થયા? મોગલો આવ્યા પહેલા નાં યુધ્ધો અને છમકલાઓ શેના માટે થયેલં ? ચડાઇ કરી ને ધન /ખજાના ની લુંટ માટે જ ,થયેલા કે બીજુ કાઇ ? એક આર્ટીકલ માં વંચાયુ કે હિટલરે કત્લેઆમ કરી નાખ્યો એ ધર્મયુધ્ધ હતુ ? ભારત-ચીન કે ભારત-પાક ધર્મ માટે લડ્યું હતું ? બાંગ્લાદેશ નો બદલો કાશ્મિર અને ફરીથી પણ કાઇક નવુ આવશે .. શું અમેરિકા એ ઇરાક/અફઘાન પર હુમલો ધાર્મિક બાબત હતી ? પણ એ જાણવા માટે ઇતિહાસ ના પાના ખોલવા જરુરી બને છે અને યુધ્ધો થવા નાના મોટા વાયોલન્સ થવા એ નાં માટે ધર્મો ક્યારેય જવાબદાર નથી એ સમજવા માટે "પોલીટીકસ" ના પાઠ ભણવા પડે ...
એક બીજી વાત એક જ ઘર માં ચાર પુત્રો હોય ત્યાં પણ આ જ થતુ હોય છે ત્યાં એ ઘર/કુંટુંબ એકજ ધર્મ/જાતિ/ભાષા નુ હોય છે છતા હત્યા સુધી ની ઘટનાઓ બને છે અને આજ સુધી એકેય કુંટુંબ એવુ નહી હોય જ્યાં માલ-મિલક્ત માટે ઝઘડાઓ ન થયા હૌય ....!!

દુનિયા માં દરેક ને પોતાની "સર્વોપરિતા" સ્થાપવી છે એ સિંકદર હોય , સોવિયેત, અમેરિકા, રશિયા, ચીન કે ભારત
નાના નેતા ને પોતાના સ્તરે થી ઉપર અને ઉપર ના ને એથી ઉપર અને છેવટે વૈશ્વિક સર્વોપરિતા અને એના માટે યુધ્ધો પણ થવાના અને જરુરી પણ છે કારણ કે જમાનો આજથી નહી જ્યાર થી માનવજાત નો જન્મ થયો ત્યાર થી દરેક ને સર્વોપરિ બનવુ છે અને એ વૃતિ ધર્મ ના કારણે નથી .... અને જો પોતે પોતાની સર્વોપરિતા સાબિત નહી કરીયે કે આત્મસંરક્ષણ નહી કરીયે તો લોકો તમને લુંટી જશે એના માટે પણ યુધ્ધો થતા જ રહેવાનાં છે આ એક ચક્ર છે જે હમેશા ફરતુ રહે છે

ઘણા બૌધ્ધિકો એકમત નથી કે રેશનાલીઝમ માં નાસ્તિકવાદ સાથે આગળ વધવુ કે ધર્મ ની સાથે ?? જોઇયે એક બીજી વાખ્યા

દોસ્તો, રૅશનાલીઝમની વ્યાખ્યા જ એવી છે કે, એમાં તર્કવીવેક (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર અને એ જ પ્રમાણેનાં નીતી–આચાર મુજબનું જીવન, અર્થાત વૈજ્ઞાનીક જીવનાભીગમ. આમ, રૅશનાલીઝમ એ કોઈ વીચાર કે વાદ માત્ર નથી; જીવન પદ્ધતી છે, જીવનકલા છે.
-એક આર્ટીકલ માં થી

ખુબ જ સરસ વ્યાખ્યા ને નાસ્તિકો કેમ સમજી નથી શકાતા/????

અને જો નાસ્તિકો ઇષ્વર માં માનતા નથી તો ઇષ્વરવાદી ઓ નો વિરોધ કરવા નું કારણ ??? એમેને ઇષ્વરવાદીઓ થી શેનો ડર છે ??
નાસ્તિકતા નો પ્રચાર કરતા મેગેજીન બાબત વાત કરીયે તો

જે લોકો ઇષ્વર ની અસ્વીકૃતિ માં માને છે એમણે એક મેગેજીન માં લખ્યુ કે
"પ્રાર્થના સભાઓ બંધ કરવી જોઇયે કેમ કે લોકો ના સમય નો બગાડ થાય છે એવુ પણ વાંચવા માં આવ્યું અને કારણો પણ અપાયા કે જવા - આવવા માટે ટ્રાવેલિંગ કરવુ પડે સમય ની બરબાદી થાય પૈસા ની બરબાદી થાય અને આજ ના જમાના માં સમય કોઇ પાસે નથી
એમને પુછો કે ઘર માં કોઇ નુ અતિ વ્હાલા જન નુ મૃત્યુ જોયુ છે ???
એ વેદના કેવી હોય છે એ અનુભવી છે ક્યારેય ??
એ લોકો એમ પણ કેહેશે કે અંત્યેષ્ટી પણ ના કરવી કેમ કે એમાં પણ સમય અને ખર્ચ થાય તો શુ પ્રાણી ઓ ની જેમ મરદા ઓ ને ફેકી દેવાના ?? અને માનવી ઓ જ બીજાઓ ના દુખ અને સુખ માં ભાગીદાર બનતા હોય છે અને એજ સદભાવનાઓ માં માનતા હોય છે તો શુ આપણે પાછા પશુ / પ્રાણી બની જઇ ને પાછા ઉતક્રાતિ વાદ તરફ પાછા જવાનુ છે શુ સમાજ ને હજારો વર્ષ પાછળ લઇ જવો છે ??/
પોતાની મન ના તંરગો મુજબ સ્વચ્છંદાતા માં રાચવા માટે નાસ્તિકો દ્વારા લવાયેલા નીતી નિયમો ને સમાજે પાળવાના છે ?

પ્રાર્થના
=====
જેમાં આધુનિક વૈજ્ઞાનિકો માને છે અને ઇતિહાસ માં થયી ગયેલા મહાનુભાવો એ પણ પ્રાર્થના નું બળ કબુલ કર્યું છે

એક ૬૦ થી ૮૦ વર્ષ ની વૃધ્ધાઓ ની ભજન મંડળી મહીને એકાદ વખત ભેગા થયી ને ભજન કરે છે અને ધાર્મિક સરઘસ માં જાહેર માં હાથ માં કરતાળ લઇ ને "ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો" ની ધુન પર સંગીત ની સાથે નૃત્ય કરે !! કારણ કે ધર્મએ માનવ જીવન અને સમાજ માટે બધી જરુરીયાતો ને અનુલક્ષી ને બધુ સ્થાપિત કર્યુ છે કારણ કે ૬૦ થી ૮૦ ની ઉંમંરે પહોચેલી વૃધ્ધાઓ કે વૃધ્ધો મોટે ભાગે પોતાના જીવનસાથી નાં મૃત્યુ પછી ના ઘડપણ માં જીવન માં એકલ્વાયાપણૂ પણ ભોગવતા હોય છે એ લોકો પોતાના પુત્રો - પુત્રવધુ અને પૌત્રો કે પૌત્રી નાં દેખતા આ ભજન મંડળ માં સંગીત સાથે નૃત્ય કરી શકે ....નહી કે "મુન્ની બદનામ હુઇ" નાં ડીજે ના તાલ પર...... કારણ કે મન ના આનંદ પ્રમોદ માટે આ બધુ જરુરી છે હવે આ લોકો આ બધુ ધાર્મિક ભજન દ્વારા મેળવી શકે તો નાસ્તિકો ને પેટ માં દુખે માનવીય જીવન ની સાથે એની ઉંમર અને અવસ્થાઓ પણ હોય છે અને એ બધી વ્યવસ્થાનું ધ્યાન માનવીય જીવન નાં પ્રથમ ચરણ માં રખાયું અને એ પછી માનવી નાં કલ્ય઼ાણ માટે સાયન્સ આવ્યું ..... !!!
માનવી માટે પ્રાથમિક જરુરીયાત પછી આનંદ, પ્રમોદ વગેરે ખુબ જ જરુરી છે અને એ અવસ્થાકીય હોય છે જે ધર્મ માં થી માનવ સંસ્કૃતિ નાં પાયા માં થી મળેલુ છે

નાસ્તિકો આત્મા છે કે નહી એ બધી બાબતો માં વિષ્વાસ ના કરે અરે એ લોકો વિષ્વાસ શબ્દ નો જ ભરોષો ના કરે માનવી ના જીવન માં આનંદ પ્રમોદ માટે પ્રંસંગો ઉજવે છે ખુશીઓ નાં સમયે ખુશી નો મત્યુ જેવા મત્યુ બાદ અંત્યેષ્ટી કે પ્રાર્થના સભા જેવા પ્રંસગો કરે તો ખોટું શુ છે એ કુરિવાજો નથી હા મૃત્યુ પછી કરાવવા માં આવતા ભોજન અથવા લગ્ન પ્રંસગે પરાણે કરાવવા માં આવતો ખોટો ખર્ચ અથવા દહેજ પ્રથા એ કુરિવાજો છે "પ્રસંગ" એ કુરિવાજ નથી એ માનવીય જીવન નુ જરુરી અંગ છે અને જો માનવી એ નહી ઉજવે તો પશુ અને માનવી બધા એક જેવા જ થયી જવાના તો શું સમાજ આવી નાસ્તિક વિચારસરણી દ્વારા આપણે ફરી થી પ્રાણી બનાવવાનો છે ????

શું સંતો અને મહાત્મા ઓ એ માનવ સમાજ ને ખોટા રસ્તાઓ બતાવ્યા છે ??? બતાવો ચાલો એવીડન્સ માં માનતા નાસ્તિકો ચાલો લાવો એવીડન્સ કે ઇતીહાસ માં પણ કયા સંત કે મહાત્મા સમાજ ને અધોગતી તરફ લઈ ગયા ???? અને માનવ સમાજ માં આગળ નાં ઉત્થાન ના તબક્કા માં જે પણ બિનજરુરી હતુ એ સંતો એ સાફ કરી ને સમાજ ને હંમેશા સદમાર્ગેજ લઇ જવાની તરફેણ કરી નહી કે સમાજ ને પાછા પ્રાણી બનાવવાની !!! અને જેઓ એ દુ: માર્ગે લઇ જવાની કોશિષ કરી હશે એમને સમાજે ક્યારેય સ્વીકાર્યા નથી અને એટલે જ એવા લોકો નાં ઇતિહાસ માં નામો નથી !!!
નાસ્તિક વાદ ને સાબિત કરવા માટે / એ ખરો છે એ બતાવવા માં ખોટી ભ્રામક માહીતી ઓ ફેલાવવા માટે આ લોકો સંતો અને મહાત્મા ઓ બદનામ કરવા નિકળી પડ્યા સાચા રેશનાલીસ્ટ તો સંતો હતા અને તેઓ નાસ્તિક નહોતા !!! કારણ કે માનવીય જીવન ની બધી અવસ્થાઓ ને એ પચાવી શક્યા હતા અને એનો સાહજીક સ્વીકાર કરતા હતા અને એટલે જ એમના નામો ઇતિહાસ માં સુવર્ણ અક્ષરો એ લખાયા

રોગ થયો હોય તો ઉપચાર દ્વારા એને દુર કરી શકાય રોગ મટાડવા માણસ ને નહી મારી નંખાય એવી જ રીતે ધર્મ માં ખોટી બાબત સાબીત થાય ત્યારે કુશળતા થી એને દુર કરવા ની હૌય માનવીય સમાજ નાં બહુપારિમાણ્વીય પાયા સંસ્કૃતિ ને દુર ના કરી દેવાય ...!!!

-શ્યામ શુન્યમનસ્ક
તા ૨૧/૧૦/૧૧

ઇષ્વર અને વિજ્ઞાન


ઇષ્વર : વૈજ્ઞાનિકોનાં દ્ર્ષ્ટીકોણ થી
========================

એક મઝા નો મુદ્દો ........ જેવી રીતે વિજ્ઞાન અત્યાર સુધી ઇષ્વર છે એમ સાબીત નથી કરી શક્યું તો ઇષ્વર નથી એમ પણ સાબીત નથી કરી શક્યું ....!!! વિજ્ઞાન હજી પણ આ બાબત માટે તર્કશાસ્ત્ર નાં સહારા ઓ લઇ રહ્યું છે છેવટે જગવિખ્યાત વૈજ્ઞાનિકો જેમણે પણ આ બાબતે શોધખોળ નાં પ્રયાસો કર્યા એમણે એક "શક્તિ" જે સમગ્ર બ્ર્હમાંડ નું સંચાલન કરે છે એ બાબત નો સ્વીકાર કર્યો
કારણ ..... વિજ્ઞાન ની મર્યાદા ઓ છે અને એ મર્યાદા આવી જાય ત્યારે વિજ્ઞાન ચુપ થયી જાય છે ...//

જેમ કે ગણિતશાસ્ત્ર નાં નંબર્સં ... જેનો એક છેડો શૂન્ય છે અને ૧ થી શરુઆત થાય છે અને બીજો છેડો ???? "અનંત" ...!!
અનંત શું છે જેનો કોઇ અંત નથી એક પછી એક.. એક..... એમ ઉમેરતા જાવ બસ આગળ જ આગળ .... અપાર .....!!!
એવું જ ઇષ્વરીય શક્તિ નું છે જે "અનંત" છે અને એ અનંતતા ને માનવુ જ પડે એવાં થોડાકં વૈજ્ઞાનિકોનાં સ્ત્રોત્રો અને સમર્થન પર ટુંક માં એક નજર કરીયે
(ઘણી બધી બાબતો અને થીયરીઓ છે જે સવિસ્તાર લેખન કરવું અને ગુજરાતી માં ભાષાંતર કરવું એક લાંબા સમય ની જરુરીયાત માંગી લે છે છંતા આ નાં આધારે ઉંડા ઉતરવા એવાં મહાનુભાવો ની વાતો કરીશું જેની જરુરી બુક્સ દ્વારા ઘણૂં બધું સમઝાઇ જશે)

વિવેકપંથી નાં એક મેગેજીન PDF 58 ફાઇલ માં વંચાયુ કે ભૌતિકવાદીઓ ઇષ્વર નાં અસ્તિત્વ નો ઇનકાર કરે છે
અંધશ્રધ્ધાઓ નાં વિષય પર ની એક પુસ્તિકા માં ઇષ્વર અને વિજ્ઞાન વિશે ઇષ્વર નાં અસ્તિત્વ ને નકારતી ડાર્વિન ની ઉત્ક્રાતિવાદ ની થયરી ને સંકલિત કરતી બાબતો વાંચવા મળી પણ ડાર્વિન પછી એ દિશા માં શુ શુ નવુ શોધાયું અને એ શોધકો એ પોતાના કેવા કેવા સ્ટેટમેન્ટસ આપ્યા એ અહિયાં જાણવા/વિચારવા/માણવા લાયક બની રહેશે
એ બાબતો ને મુદ્દાસર જોઇયે ...
આપણે અહિયાં એવાં વૈજ્ઞાનિકો / ફિલોસોફરો વિશે જોઇશું જેમની થિયરી અને સંશોધનો એ વિજ્ઞાન માટે બહુ જ મહત્વ ની કડી બની રહી
અંગ્રેજ ફીલોસોફર સેમ્યુઅલ ક્લાર્ક ની વિચારધારા તથા
સ્કોટલેન્ડ નાં એડમ સ્મીથ જેઓ ની "થીયરી ઓફ મોરલ સેન્ટીમેન્ટસ" અને "એન ઇન્ક્વાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોસેસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ માં એક ડોકીયું કરવા જેવુ છે

એ સિવાય વિજ્ઞાન ની જ જો વાત કરીયે તો ડાર્વિન નાં ઉત્ક્રાંતિ વાદ ને પડકારતી થિયરી જેમ્સ બર્નેટ (અઢાળ મી સદી) ની આવી ....જેમાં એમનુ માનવુ હતું કે જો માનવ નામનું પ્રાણી જો વાંદરા માં થી ધીમે ધીમે કાળ ક્રમે બન્યું છે તો પછી વાંદરાઓ હજારો વર્ષ પછી પણ કેમ વાંદરાઓ જ છે એ માણસ ની જેમ કેમ કોઇ પ્રગતી ના કરી શક્યા અથવા માનવો ના બની શક્યા ?? એ સિવાય જો વાંદરા માં થી માણસ બની શકે તો વાંનર ની પ્રજાતિ જે અર્ધ માનવ જેવી છે એ હજી પણ કેમ આગળ ન વધી શકી ? એસિવાય વાનરો માં થી જેમ માનવ નામનુ બુધ્ધિશાળી પ્રાણી બન્યું તો (સસ્તન પ્રજાતી માં થી : માનવ બાયોલોજીકલી: સસ્ત્ન પ્રાણી ની પ્રજાતિ માં વહેંચવા માં આવેછે) ઘોડાઓ અને હાથી ઓ માં થી એમની પુંછડી વગેરે નો નાશ થયી ને માનવ કરતા વધુ બુધ્ધિશાળી પ્રાણી કેમ ના બન્યું ?? કેમ કે એ વાનરો કરતાં વધુ શક્તિશાળી પણ હતા.... આવુ કેમ એવો એક તર્ક ના આધારે એ થૈયરી લખાઇ ...... એમણે માનવ એ માનવો જ હતા પણ આજ ના કરતા પછાત હતા આવી સંદર્ભ અને ઇષ્વરીય વાતો ને લગતી વાતો એમનાં પુસ્તકો માં વાંચવા જેવી તર્ક ની વાતો લખાઇ
જે સિધ્ધ ન થયી શકી પણ એમાં થી તથ્ય જરુર નીકળ્યું !!! અને તર્ક એ તર્ક જ બની રહ્યો !!!
વિજ્ઞાન જે પણ શોધતુ જાય જે પણ થિયરીઓ લખતુ જાય એ એનાં પછી નાં સંશોધકો એ ને કાંતો ડેવલપ કરી છે કાં તો એ માન્યતા ઓ ને સૈધ્દ્દાંતિક સાબિતી ઓ દ્વારા નકારી છે આ એક વિજ્ઞાન ની મર્યાદા ઓ છે અને એને સહુ સ્વીકારે છે
હવે વાત કરીયે "એરિસ્ટોટલ "( પ્લેટો ના શિષ્ય઼ અને મહાન સિકંદર નાં ગુરુ) ની જેઓ ભૌતિકવિજ્ઞાન , જીવવિજ્ઞાન સિવાય આધ્યાત્મ , કાવ્યો , નાટક , સંગીત તર્ક શાસ્ત્ર રાજનીતિ એવાં ઘણા બધાં વિષયો માં એમણે ચોથી સદી માં યોગદાનો આપ્યાં અને એમની જ થયરી પર ન્ય઼ુટને શોધખોળો કરી
હવે જોઇયે એવાં તરંગી વૈજ્ઞાનિકો વિશે જેઓ એ આ બાબત માં પોતાનાં સામર્થ્ય ને ચકાસી જોયું જે કોઇ પણ ધર્મ માં નહોતા માનતા અથવા લાંબા સમય સુધી જેમના નાસ્તિક હોવાની વાતો અથવા ઇષ્વર ની સ્વીકૃતિ ના કરવાની માન્યતાઓ હતી અને છેવટે એમણે તર્ક શાસ્ત્ર નાં નિયમો ને આધારે સ્વીકૃતિ આપી અને ઇષવરીય માન્યતા ને એક શક્તિ સ્વરુપે ઓળખાવ્યા કે એ શક્તિ છે જે સમગ્ર બ્ર્હમાંડ નું નિયમન કરે છે અને એ એનાં નિયમન થી જ ચાલી રહ્યું છે એવા

ન્યુટન આઇઝેક
એક એવો કટ્ટરવાદી વૈજ્ઞાનિક જેની ગણના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલોસોફર તરીકે થાય છે
ઇતિહાસકાર સ્ટીફન ડી સ્નોબેલેનનું ન્યૂટન વિશે કહેવું છે કે "આઇઝેક ન્યૂટન એક વિધર્મી હતા. પણ તેમણે પોતાની અંગત માન્યતાને ક્યારેય જાહેર કરી નહોતી, જેના કારણે આ રુઢિચુસ્ત માણસને અત્યંત કટ્ટરવાદી સમજવામાં આવ્યો. તેમણે તેમના પોતાના વિશ્વાસને એટલી સારી રીતે ગુપ્ત રાખ્યો કે આજે પણ વિદ્વાનો તેમની અંગત માન્યતાઓ વિશે વિવિધ પ્રકારના તર્ક કરે છે તેઓ સામાજીક રુઢીવાદ ના વિરોધી હતા પણ જ્યારે એમનાં ઇષવર હોવાનાં સંસોધનો તરફ તર્ક દોડાવ્યો ત્યારે ઇષ્વર ની સ્વીકૃતી ને માન્ય રાખી એ બાબત ને જોઇશું
આધુનિક યંત્રવિધ્યા (એન્જીનિયરિંગ) નાં જે પાયા ના સ્થાપક તરીકે ગણના થાય છે
જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી લોકોમાં એક બૌધ્ધિક પુરૂષ તરીકે થાય છે. 1867માં પ્રકાશિત થયેલા તેમના સંશોધનપત્ર "ફિલોસોફી ઓફ નેચરેલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા " (સામાન્ય રીતે પ્રિન્સિપિયા તરીકે જાણીતું છે)ની ગણતરી વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુસ્તકોમાંના એક પુસ્તકમાં થાય છે, જેણે પરંપરાગત યંત્રવિજ્ઞાનનો પાયો નાખ્યો. તેમાં ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે, જેનું વર્ચસ્વ આગામી ત્રણ સદી માટે ભૌતિક બ્રહ્માંડના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર રહ્યું હતું. ન્યૂટને કેપ્લરના ગ્રહીય ગતિના નિયમો અને પોતાના ગુરુત્વકર્ષણના સિદ્ધાંતો વચ્ચે સાતત્ય સ્થાપિત કરી દર્શાવ્યું હતું કે પૃથ્વી પર ચીજવસ્તુઓની ગતિ અને અવકાશી પદાર્થોની ગતિનું નિયંત્રણ કે સંચાલન કુદરતી નિયમો થી થાય છે. આ રીતે સૂર્ય કેન્દ્રીયતા અને વૈજ્ઞાનિક ક્રાંતિના આધુનિકરણ વિશે છેલ્લી શંકા પણ દૂર કરી અને એ પ્રકૄતિ ની શક્તિ વિશે આગળ જોઇયે
જોકે આ માણસે વિજ્ઞાન ને એટલું બધુ એમના શંસોધનો વડે પ્રદાન ( પ્રકાશ , ગતિ, વલયો , ક્વોન્ટમ મિકેનિક્સ તરંગકણ યુગ્મતા ગાણિતિક સિધાંતો )કર્યું કે એ વિશે અહિયા બહુ લાંબુ થશે પણ એમની ઇષ્વર હોવાની બાબત ની સ્વીકૃતી બાબતે અહીયા ચર્ચા કરીયે
એમણે બાઇબલિકલ હેર્મેનેયુટિક્સ નાં વિષય પર ઘણૂં બધુ લખેલું અને એમના સંસોધનો બાબતે પણ સહ વૈજ્ઞાનિકો જેવાં કે રોબર્ટ હુક જેવા વૈજ્ઞાનિક સાથે કાયમ ની ટસર રહેલી
કે એમણે કેટલીય થીયરી ઓ ને પ્રકાશિત નહી કરાવેલી અને ફક્ત સંઘરી રાખેલી "'ગોડ ઓફ ગોડ્સ, એન્ડ લોર્ડ ઓફ લોર્ડ્સ': ધ થીયોલોજી ઓફ આઇઝેક ન્યૂટન્સ જનરલ સ્કોલીયમ ટુ પ્રિન્સિપિયા," જેવી કેટલીય થીયરીઓ અને એટલી બધી થયરી ઓ લખાઇ શરુઆત માં ન્યુટન ની નાસ્તિકતા વિશે ચર્ચાઓ થતી પણ
ન્યૂટન અને રૉબર્ટ બોયલના યાંત્રિક દર્શનને બુદ્ધિજીવી કલમજીવીઓએ રુઢિચુસ્તો અને સુધારાવાદીઓ માટે એક વ્યવહારિક વિકલ્પ સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને તેને લેટીટ્યુડીનેરિયન જેવા રુઢિચુસ્ત અને અસંતુષ્ટ પ્રચારકોએ ખચકાટ સાથે સ્વીકાર્યુ આ રીતે વિજ્ઞાનની સ્પષ્ટતા અને સરળતાને નાસ્તિકતાના જોખમ અને અંધવિશ્વાસી ઉત્સાહ બંનેની ભાવનાત્મક અને આધ્યાત્મિક પૂર્વધારણાનો સામનો કરવા માટે એક માર્ગ સ્વરૂપે જોવામાં આવ્યો. તે જ સમયે અંગ્રેજી આસ્તિકતાની એક બીજી લહેરે ન્યૂટનના સંશોધનોનો ઉપયોગ એક "કુદરતી ધર્મ"ની શક્યતાને પ્રદર્શિત કરવા માટે કર્યો.
આવા મહાન વૈજ્ઞાનિકો નાસ્તિકતા ના જોખમ ને સમઝતા હતા કે નાસ્તિકતા માનવસમાજ માટે માનવવાદી ક્યારેય ન બની શકે અને સમાજ ને દુષ્કૃત્યો / દુરાચાર તરફ દોરી જઇ શકે છે
સ્તોત્ર : સાયન્સ એન્ડ રીલીઝીયન વેસ્ટફોલ રીચાર્ડસ એસ ઇંગ્લેન્ડ સૌજન્ય વેબ

કુદરતી અને આત્મજ્ઞાની સ્વરૂપે સમજવા યોગ્ય નિયમો પર આધારિત બ્રહ્માંડ વિશે આ ન્યૂટનનો જ વિચાર હતો જેણે આત્મજ્ઞાનની વિચારધારા માટે એક બીજનું કામ કર્યું.અને વૉલ્ટરે આંતરિક અધિકારોની વકીલાત કરતાં કુદરતી નિયમોની વિભાવનાને રાજકીય વ્યવસ્થા પર લાગૂ કરી. ફિઝિયોક્રેટ અને એડમ સ્મિથએ આત્મરુચિ અને મનોવિજ્ઞાનની કુદરતી ધારણાને આર્થિક વ્યવસ્થા પર લાગૂ કરી તથા સમાજશાસ્ત્રીઓએ પ્રગતિના કુદરતીના નમૂનાઓમાં ઇતિહાસનો ફિટ કરવાના પ્રયાસ માટે તત્કાલીન સામાજિક વ્યવસ્થાની ટીકા કરી. મોનબોડો અને સેમ્યુઅલ ક્લાર્કએ ન્યૂટનના કાર્યને તત્વોનો વિરોધ કર્યો, પણ છેવટે કુદરત વિશે તેમના પ્રબળ ધાર્મિક વિચારોને સુનિશ્ચિત કરવા તેને તર્કસંગત બનાવ્યા.
અંતે ...
ન્યૂટને ઈશ્વરને મુખ્ય સર્જક માન્યો, જેના અસ્તિત્વને બધા સર્જનોની ભવ્યતાના ચહેરામાં નકારી ન શકાય

સ્તોત્ર ૧ : આર. કે. ઇડી. નુડ હાકોન્સન. ધ ઇમરજન્સ ઓફ રેશનલ ડિસેન્ટ.એનલાઇટમેન્ટ એડ રિલીજીયનઃ રેશનલ ડિસેન્ટ , કેમ્બ્રીજ યુનિવર્સિટી બ્રિટન.
સ્તોત્ર ૨ સર ડેવિડ બ્રૂસ્ટર લિખિત આઇઝેક ન્યૂટનના જીવન, લખાણ અને શોધ અંગે નિબંધમાં ઉલ્લેખ થયેલી સાચા ધર્મની ટૂંકી સમજ માટે ડેવિડ બ્રૂસ્ટર ની થયરી
સ્તોત્ર ૩ પ્રિન્સિપિયા બૂક ન્યૂટન્સ ફિલોસોફી ઓફ નેચર" એચ. એસ. થાયર, હાફનર લાઇબ્રેરી ઓફ ક્લાસિક્સ, ન્યૂયોર્ક, 1953
(સૌજન્ય વેબ)

સર્જક અથવા ઇષ્વરીય શક્તિ નાં નિયમન માં માનવીય વૈજ્ઞાનિક હસ્ત્ક્ષેપ બાબતે પણ થયરી ઓ છે
જેમાં
ન્યૂટનને એક હસ્તક્ષેપ ભગવાન દ્વારા નિયંત્રિત દુનિયાને એક એવી દુનિયામાં પરિવર્તિત કરી જે તર્કસંગત અને સાર્વભૌમિક સિદ્ધાંતો સાથે ભગવાન દ્વારા કળાત્મક સ્વરૂપે બનાવવામાં આવી છે
સ્તોત્ર : એલાઇમેન્ટ એન્ડ રીલીઝીયન : રેશનલ ડીસેન્ટ રાઇટર : માર્ટીન ફીજ્પેટ્રીક (કેમ્બ્રીઝ યુનિવર્સીટી બ્રીતન)
આ સિદ્ધાંત તમામ લોકો માટે સંશોધન હેતુ ઉપલબ્ધ છે. આ લોકોને આ જ જીવનમાં પોતાના ઉદેશોને ફળદાયી સ્વરૂપે પૂર્ણ કરવાની મંજૂરી આપે છે,અને તેમને તેમની પોતાની તર્કસંગત શક્તિઓથી પૂર્ણ બનાવે છે
એમના જીવન કાળ દર્મ્યાન એટલી બધી શોધો કરી અને એ બાબત એટલા બધા સૈધાંતિક સામનાઓ કરવા પડતા કે ઉપરા ઉપરી થયરી ઓ આવતી

" ન્યૂટનને તેમણે તેમના જીવનકાળમાં કુદરતી વિજ્ઞાનની સરખામણીમાં ધર્મ વિશે વધારે લખ્યું. તે તર્કયુક્ત વિશ્વવ્યાપી દુનિયામાં વિશ્વાસ કરતાં હતા, પણ તેમણે લીબનીઝ અને બરુચ સ્પિનોઝાના હાઇલોજોઇઝમનો અસ્વીકાર કર્યો. આ રીતે આદેશિત અને ગતિશીલ સ્વરૂપે સૂચિત બ્રહ્માંડને સમજી શકાય છે અને તેને એક સક્રિય કારણ દ્વારા સમજવું જોઈએ. તેમના પત્ર વ્યવહારમાં ન્યૂટને દાવો કર્યો કે પ્રિન્સિપિયા માં લખતી વખતે "મેં એક નજર એવા સિદ્ધાંતો પર રાખી, જેથી ઈશ્વરમાં વિશ્વાસ રાખવાની સાથે મનુષ્ય પર વિચાર કરી શકાય".તેમણે દુનિયાની વ્યવસ્થામાં ડીઝાઇનનું પ્રમાણ જોયું: "ગ્રહીય વ્યવસ્થામાં આવી અભિન્ન એકરુપતાને પસંદગીની અનુમતી આપવી જોઈએ." પણ ન્યૂટને ભાર આપ્યો કે અસ્થાયીત્વની ધીમી વૃદ્ધિના કારણે દૈવી હસ્તક્ષેપ અંતે વ્યવસ્થાના સુધાર માટે જરૂરી હશે.આ માટે લીબનીઝે તેમની ટીકા કરતો લેખ લખ્યોઃ "સર્વશક્તિમાન ઈશ્વર સમયેસમયે પોતાની ઘડિયાળ સમાપ્ત કરવા માગે છે. નહીં તો આ સ્થાનાંતરિત કરવા માટે બંધ કરવામાં આવશે. એવું લાગે છે કે તેની પાસે તેની એક નિયમિત સતત ગતિ જાળવી રાખવા માટે જરૂરી દીર્ઘદ્રષ્ટિનો અભાવ છે"
સ્તોત્ર : રિચાર્ડ બેન્ટલી ટોક વિથ ન્ય઼ુટન 10 ડિસેમ્બર 1692 ટર્નબલ E T L પાર્ટ -૩ પાના ૨૩૩ મુજબ સૌજન્ય વેબ .

લેખનકળા વિશે થોડું રસપ્રદ :
====================

ન્ય઼ુટને સેંકડો થીયરીઓ દ્વારા સૈધાંતિક આવિષ્કારો જગત ને આપ્યા અને આજે પણ એમનાં સિધાંતો ના આધારે લાખો લોકો પોતાની થૈસીસો લખે છે અને એ થયરી ઓ લખાઇ લખાઇ ને યુનિવર્સીટી ની લાઇબ્રેરીઓ માં થોકડાઓ થાય છે આવી થયરી ઓ માં એક રસપ્રદ થયરી પણ આવી ગયી જે
સ્ટીફન ડી. સ્નોબીલીન એ લખેલી જેઓ પોતે યુનિવર્સિટી ઓફ કીગ્સં કોલેજ હેલીફેક્સ નોવા સ્કોટીયા માં "હીસ્ટોરી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નાં સબજેક્ટનાં મદદનિશ પ્રોફેસર તરીકે કામ કરેલું એ થિસીસ નો વિષય હતો "ન્ય઼ુટન: પુન: વિચારણા " જે થીસિસ લખાયેલી ૧૯૯૭ માં જે બાબત ની મુલાકાત ૨૦૦૫ ની સાલ માં પોલ ન્યુવેલ ને આપેલી જેમાં એમણે
ન્ય઼ૂટન ને વૈજ્ઞાનિક ન માનતા ધાર્મિક અને ભવિષ્યવેતા તરીકે ની સમજ આપેલી તદૌપરાંત ન્ય઼ુટને આપેલા સિધાંતો માં મહત્વ નાં આવિષ્કારો માં એમની આગળ થયી ગયેલા સંસોધનો જ છે જેમાં સામાન્ય બાબતો નો જ ઉમેરો કર્યો જે વિશે વિજ્ઞાને ધ્યાન નહોતું આપ્યું એ બાબત માં ઉમેરા કર્યા હતા અને બાકી બાબતો પાખંડી પ્રકાર ની હતી અને એમની બાબતો માં સ્ટીફન નુ માનવું હતું કે એમના મૃત્ય઼ૂ પછી મળી આવેલા મહત્વ નાં દસ્તાવેજો ને ( જે મુખ્યત્વે ધાર્મિક અને રાસાયણીકશાસ્ત્ર ને લગતા હતા) ખોટી રીતે વિજ્ઞાન નાં થોથાંઓ પર ભાર વધારે છે ઓવર ઓલ એમની થીસીસ ને યુનિવર્સિટી દ્વારા અને દિગ્ગજો દ્વારા માન્ય રાખવા માં આવી
સ્તોત્ર : વેબ "ધી ગેગેલીયન"

સામાન્ય માણસ જેઓ વાંચન માં રસ ના ધરાવતા હોય એમને માટે આવી બાબતો સુધી પહોંચવુ એક અચરજ થયી પડે પણ લેખન પણ એક કળા છે તર્કશાસ્ત્ર ને કે તર્ક પર તર્ક ચલાવી ને ન્ય઼ુટન જેવા વૈજ્ઞાનિક ને વૈજ્ઞાનિક ન કહેતા પાખંડી કહી શકાય અને એ બાબત ને વિષ્વવિધ્યાલય દ્વારા માન્ય પણ રાખવી પડે ...!!! ભલે દુનિયા અને એ સ્ટીફન પણ અંદર થી ન્ય઼ુટન ને વૈષ્વિક વૈજ્ઞાનિક માનવ માનતા હશે ...!!!

હવે જોઇશું બીજા એક આવા જ વૈજ્ઞાનિક જેઓ એમના સમાજવાદી /માનવતા વાદી વ્યક્તિત્વ તરીકે

આલ્બર્ટ આઇન્સ્ટાઇન
=============

ભૌતિક શાસ્ત્ર નાં નોબલ પારિતોષિક વિજેતા આ નામ પણ ન્યુટન જેટલું જ વર્લ્ડ ફેમસ છે જેમના આવિષકારો વિશે અને સાયન્ટીફીક થયરી ઓફ રીલેટીવીટી ની વાત આપણેઅ
અહિયા વાત નહી કરીયે પણ આવા મહાન વૈજ્ઞાનિકો ને પોતાના જીવનકાળ દર્મ્યાન ધાર્મિક બાબતો અને ઇષ્વર હોવા ન હોવાની બાબતો નાં ખાસ ઉત્તરો આપવા પડેલા વેબ સાઇટ અને બે અંગ્રેજી પુસ્તકો આધારિત એમની એ બધી બાબતો અત્રે ટુંક માં જોઇશું
શરુઆત માં (૧૯૨૯ ની સાલ માં) પોતાને ઇષ્વર ની બાબત માં અજ્ઞેયવાદી (અજાણ) તરીકે ઓળ્ખાવેલા અને કહેલું કે
" હું માનુ છું કે જીવનના કલ્યાણ અને વિકાસ માટે નૈતિક સિદ્ધાંતોના પ્રાથમિક મહત્વની આબેહૂબ જાગૃતિને કાયદા આપનારના વિચારની કોઇ જરૂર નથી, અને ખાસ કરીને એવો કાયદા આપનાર જે સજા અને બદલો આપવાના સિદ્ધાંત ઉપર કામ કરતો હોય.આઇન્સ્ટાઇને એમ પણ કહ્યું હતું કે મેં વારંવાર કહ્યું છે કે મારા અભિપ્રાય મુજબ તો વ્યક્તિગત ભગવાનનો જે વિચાર છે તે ખરેખર બાળબુદ્ધિ જેવો છે.તમે મને અજ્ઞેયવાદી કહી શકો છો, પરંતુ હું એવા નાસ્તિક વ્યક્તિના લડાયક જુસ્સો કોઇને આપી શકું નહીં જેની લાગણીઓની તીવ્રતા ખાસ કરીને યુવાનીમાં પ્રાપ્ત થયેલી કટ્ટર ધાર્મિક માનયતાઓ અને ધાર્મિક ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયાસોમાંથી ટપકતી હોય......!!!!
(પોતાને અજ્ઞેયવાદી કહી ને પણ નાસ્તિકતા ને જરા પણ સમર્થ નહોતું આપ્યું )
સ્ત્રોત્ર : 25 ઓક્ટોબર, 1950ના રોજ એમ. બર્કોવિટ્ઝને લખેલા પત્રમાં આઇન્સ્ટાઇન, એલિસ કેલાપ્રાઇસ, ઇડી., ની આઇન્સ્ટાઇન આર્કાઇવ્ઝ. ધ ન્યૂક્વોટેબલ આઇન્સ્ટાઇન,પ્રિન્સ્ટન, ન્યૂજર્સી. પ્રિન્સ્ટન યુનિવર્સિટી પ્રેસ, 2000,પી216

ભગવાન નથી બાબત નાં નાસ્તિકો નાં અભિપ્રાયો માં જ્યારે નાસ્તિકો ને પોતાના નામ ને ટાંકતા જોયા ત્યારે એક વધુ સ્ટેટ્મેન્ટ આપ્યું

મારા મર્યાદીત માનવ દિમાગની મદદથી જેને હું સમજી શક્યો છું તે બ્રહ્માંડની આ પ્રકારની સંવાદીતાને જોતા તો એમ પણ કહી શકાય કે હજું પણ એવા લોકો છે જેઓ કહે છે કે ભગવાન છે જ નહીં.જો કે મને ગુસ્સો એ વાતનો આવે છે કે તેઓ મને આ પ્રકારના અભિપ્રાયો માટે ટાંકે છે.પોતે જૂડો-ક્રિશ્ચિયન ભગવાનની પૂજા કરે છે એવો દાવો કરનારા લોકોને આપેલા પત્ર દ્વારા આપેલા પ્રતિભાવમાં આઇન્સ્ટાઇને કહ્યું હતું કે મારી ધાર્મિક માન્યતા વિશે તમે જે કાંઇ વાંચ્યું છે તે અલબત્ત જૂઠાણું છે, અને આ એક એવું જૂઠાણું છે જે પદ્ધતિસર વારંવાર પુનરાવર્તન પામી રહ્યું છે.હું વ્યક્તિગત ભગવાન માં માનતો નથી અને મેં તે અંગે ક્યારેય ઇન્કાર કર્યો નથી ઉલટાનું મેં તો તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.જેને ધાર્મિક કહી શકાય એવું કાંઇક મારામાં પડ્યું છે તો તે અવશ્ય વૈશ્વિક માળખાની અમર્યાદ પ્રશંસા છે, ખાસ કરીને જ્યાં સુધી આપણું વિજ્ઞાન ઘટસ્ફોટ કરે ત્યાં સુધી.વિશ્વ મારી નજરે નામના પોતાના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે પોતાના સૌથી વધુ પ્રાથમિક સ્વરુપમાં આપણને ઉપલબ્ધ શઇ શકે એવું સૌંદર્યનું, અત્યંત ગૂઢ કારણની અભિવ્યક્તિનું અને જેમાં આપણે ઉંડાં ઉતરી શકીએ નહીં એવી બાબતના અસ્તિત્વનું જ્ઞાન એ એવું જ્ઞાન છે, એવી લાગણીઓ છે જે સાચા ધાર્મિક વર્તનની રચના કરે છે, અને આ રીતે જોતાં હું ઉંડાણપૂર્વકનો ધાર્મિક માનવી છું.( સ્ત્રોત્ર : www.stephenjaygould.org ) તેમજ આલ્બર્ટ આઇન્સ્ટાઇન "ધ વર્લ્ડ એઝ આઇ સી " ૧૯૪૯

1930માં ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા માં આઇન્સ્ટાઇને ત્રણ પદ્ધતિઓને નામાંકિત બનાવી હતી જે સામાન્યરીતે વાસ્તવિક ધર્મમાં પરસ્પર મિશ્ર થઇ જાય છે.પ્રથમ પદ્ધતિ મુખ્યત્વે કાર્યકારણની નબળી સમજ અને ભય દ્વારા પ્રોત્સાહિત થાય છે તેથી તે પારલૌકિક હસ્તીનું નિર્માણ કરે છે.બીજી પદ્ધતિ સામાજિક અને નૈતિક છે જે કાસ કરીને પ્રેમ અને સહકારની ઇચ્છા વડે પ્રોત્સાહિત બને છે.આઇન્સ્ટાઇને એવી નોંધ મૂકી છે કે આ બંને પદ્ધતિઓમાં નૃવંશસાસ્ત્રી ઇશ્વરનો ખયાલ રહેલો છે.જેને આઇન્સ્ટાઇન પોતે પણ અત્યંત પાકટ માને છે એવી ત્રીજી પદ્ધતિ ભય અને રહસ્ય દ્વારા પ્રોત્સાહિત થઇ રહી છે.તેમણે કહ્યું હતું કે એવી વ્યવસ્થા અને શ્રેષ્ઠતાનો અનુભવ કરવા માંગે છે જે પોતે જ કુદરતમાં ઘટસ્ફોટ કરે છે અને તે સમગ્ર બ્રહ્માંડને એક મહત્વના ઐક્ય તરીકે અનુભવવા માંગે છે.આઇન્સ્ટાઇન વિજ્ઞાનને પ્રથમ બે પ્રકારના ધર્મનું પ્રતિસ્પર્ધી માને છે પરંતુ ત્રીજા પ્રકારના ધર્મનું ભાગીદાર માને છે.
આઇન્સ્ટાઇન માનવતાવાદી પણ હતા અને નૈતિક રીતે ધાર્મિક સંસ્કૃતિને ટેકો આપનારા પણ હતા.તેમણે ન્યૂયોર્કની પ્રથમ માનવતાવાદી સોસાયટીના સલાહકાર બોર્ડમાં પણ સેવા આપી હતી ન્યૂયોર્કની સોસાયટી ફોર એથિકલ કલ્ચર માટે તેમણે નોંધ્યું હતું કે નૈતિક સંસ્કૃતિનો વિચારધાર્મિક આદર્શવાદમાં સૌથી વધુ મૂલ્યવાન શું છે તે અંગેના તેમના અંગત વિચારને મૂર્ત-સ્વરુપ આપે છે.તેમણે અવલોકન વ્યક્ત કર્યું હતું કે નૈતિક સંસ્કૃતિ વિના માનવતા માટે કોઇ મુક્તિ નથી
ટુંક માં નાસ્તિકતા ને સદંતર રદીય઼ો આપ્યો હતો

આઇન્સ્ટાઇને 1940ની સાલમાંપ્રકૃતિ વિષયમાં " વિજ્ઞાન અને ધર્મ" શીર્ષક ધરાવતા દસ્તાવેજો પ્રકાશીત કર્યા હતા
-------------------------------------------------------------------------------------------------------
જેમાં તેમણે કહ્યું હતું કે ધાર્મિક રીતે જે વ્યક્તિએ આત્મસાક્ષાત્કાર કર્યો છે તે પોતાની સર્વોચ્ચ ક્ષમતાઓનો ઉપયોગ કરીને પોતાની સ્વાર્થી ઇચ્છાઓથી મુક્ત બન્યો હોય છે અને તે અગાઉથી જ પોતાના એ ચોક્કસ વિચારો, લાગણીઓ અને મહત્વકાંક્ષાઓથી યુક્ત બનેલો હોય છે કે જેની સાથે તે પોતાના સર્વશ્રેષ્ઠ મૂલ્યો અને એનબીએસપીથી જોડાયેલો હોય છે જેમાં તે એવી પણ ચિંતા કરતો નથી કે આ બધી બાબતોને ઇશ્વરની સાથે જોડવા તેણે કોઇ પ્રયાસ કર્યો છે કે નહીં, કેમ કે જો તેમ ન હોય તો બુદ્ધ અને સ્પિનોઝા જેવા લોકો ને ધાર્મિક ગુરુઓ પણ ગણી શકાય નહીં.તદઅનુસાર ધાર્મિક વ્યક્તિ એવી ચુસ્ત ધાર્મિક શ્રદ્ધા અને માન્યતા ધરાવતો હોય છે કે તાર્કીક પાયા અને એનબીએસપી માટે અસક્ષમ અને બિનજરૂરી એવા પોતાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પદાર્થો અને લક્ષ્યાંકોના મહત્વ માટે તેને કોઇ શંકા નથી. આ દૃષ્ટિએ જોવા જઇએ તો આ તમામ મૂલ્યો અને લક્ષ્યાંકો પ્રત્યે સંપૂર્ણ અને સ્પષ્ટપણે જાગૃત થવા અને તેના પ્રભાવને સતત મજબૂત કરવા માનવજાત માટે ધર્મ સદીઓથી એક પ્રયાસ બન્યો છે તેમણે એવી દલીલ કરી હતી કે એક મહાન ભૂલમાંથી જ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના સઘર્ષનો જન્મ થયો છે.જો કે તેમ છતાં પણ ધર્મ અને વિજ્ઞાનના ક્ષેત્ર પોતપોતાની રીતે એકબીજાથી તદ્દન અલગ છે, તે ઉપરાંત બંને વચ્ચે પરસ્પર એક મજબૂત સંબંધ અને સ્વાવલંબન અને એનબીએસપી છે કે ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો અને એનબીએસપી છે, જો કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના કાયદેસરના સંઘર્ષનું ક્યારેય અસ્તિત્વ હોઇ શકે નહીં.આઇન્સ્ટાઇનની દૃષ્ટિએ પ્રાકૃતિક ઘટનાઓ માટે માનવી કે ઇશ્વર એમ બંને પૈકી કોઇનો પણ નિયમ ક્યારેય પણ એકમાત્ર જવાબદાર હશે નહીં.આ બાબતને સુનિશ્ચિત કરવા માટે એમ કહી શકાય કે કુદરતી ઘટનાઓમાં વ્યક્તિગત ઇશ્વરીય હસ્તક્ષેપના સિદ્ધાંતને વિજ્ઞાને ક્યારેય નકારી કાઢ્યો નથી કેમ કે માનવી હંમેશા એવા સ્થાનમાં જ આશ્રય લેતો હોય છે કે જ્યાં હજુ સુધી વૈજ્ઞાનિક જ્ઞાન પહોંચી શક્યું નથી આ કથન સુચિત કરે છે કે એ દિશા માં પ્રયાસો થયી ચુક્યા છે
સ્તોત્ર : "સાયન્સ એન્ડ રીલીઝીયન" આઇન્સ્ટાઇન

આઇન્સ્ટાઇને અગાઉ જ્યારે ટાઇમ મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તેણે ઇશ્વરદત્ત પ્રકૃતિને માનવી સમજી શકતો નથી એવી માન્યતાને ચકાસી હતી. તે સાથે તેમણે સમજાવ્યું હતું કે,"હું નાસ્તિક નથી હું એવું પણ માનતો નથી કે હું મારી જાતને સર્વેશ્વરવાદી કહી શકું.જે કાંઇ તકલીફ કે સમસ્યા છે તે એટલી વિશાળ છે કે આપણું મર્યાદિત દિમાગ સમજી શકે તેમ નથી.આપણે એવા બાળકની સ્થિતમાં છીએ જે અનેક ભાષાઓના પુસ્તકોથી ભરપુર એવા પુસ્તકાલયમાં પ્રવેશી રહ્યો છે.તે બાળક એટલું તો જાણે જ છએ કે કોઇકે તો આ પુસ્તકો લખ્યા જ હશે.જો કે તે જાણતો નથી કે કેવી રીતે પુસ્તકો લખાયા હશે.જે ભાષાઓમાં પુસ્તકો લખાયા છે તે પણ તે સમજી શકતો નથી.પુસ્તકો જે રહસ્યમય ક્રમમાં ગોઠવાયા છે તેના પ્રત્યે પણ બાળકને શંકા થાય છે, જો કે તે શું છે તેની તેને કાંઇ ગતાગમ પડતી નથી.મને તો એમ લાગે છે કે સૌથી વધુ બુધ્ધિશાળી મનુષ્ય પણ ઇશ્વર પ્રત્યે આ પ્રકારનું જ વર્તન ધરાવે છે.આપણે જોઇ શકીએ છીએ કે બ્રહ્માંડની ગોઠવણી ખુબ જ સુંદર રીતે થઇ છે અને તે કેટલાંક નિયમોનું પાલન કરી રહ્યું છે, પરંતુ આપણે તો તેના નિમયોને ભાગ્યેજ સમજી શકીએ છીએ." - આઇન્સ્ટાઇન

એરિક ગુટકિંડને લખેલા પત્રમાં આઇન્સ્ટાઇને લખ્યું હતું કેઃ

છેલ્લાં થોડાં દિવસો દરમ્યાન મેં તમારા પુસ્તકમાંથી ઘણુ બધું વાંચ્યુ અને આ પુસ્તક મોકલાવવા બદલ તમારો ખુબ ખુબ આભારઆ પુસ્તકમાંથી મને સૌથી વધુ જે બાબત અસર કરી ગઇ તે એવી છે કેજીવન અને માનવજાત પ્રત્યેના વાસ્તવિક અભિગમ અને વર્તનની બાબતમાં આપણી વચ્ચે ઘણું બધું સામ્ય રહેલું છે. ...મારા માટે ઇશ્વર શબ્દ માનવીની નબળાઇઓ અને પેદાશોની અભિવ્યક્તિથી વિશેષ કાંઇ જ નથી, બાઇબલ એ અનેક સારી બાબતોનો સંગ્રહ ધરાવતું પુસ્તક છે તેમ છતાં હજું તે પ્રાચિન દંતકથાઓ જ છે જે ફક્ત બાળકોના દિમાગમાં જ ઉતરી શકે એવી છે.આ બાબત મારામાં કેટલું સુક્ષ્મ પરિવર્તન કરી શકશે તે અંગે કોઇ અર્થઘટન કરીશ નહીંઆ અર્થઘટનો તેના મૂળ સ્વરુપ અને પ્રકાર અનુસાર અનેકઘણા છે અને તેઓને અસલ વિષયવસ્તુ સાથે કોઇ લેવાદેવા હોતી નથી.મારા મતાનુસાર તો અન્ય ધર્મોની જેમ યહૂદી ધર્મ પણ મૂર્ખ અંધ માન્યતાઓનું મૂર્તમંત સ્વરુપ જ છે.અને જે લોકોમાંથી હું આવું છું અને જેઓની વિચારધારા સાથે હું ઉંડાણપૂર્વક સંકળાયેલો છું એવા યહુદી લોકો પણ મારા માટે અન્ય પ્રજાની તુલનાએ વધુ કોઇ ગુણવત્તા ધરાવતા નથી.જેમ જેમ મારો અનુભવ વધતો ગયો છે તેમ તેમ હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે તેઓ પણ ખરાબ બદીઓની સામે સત્તાની ઊણપ દ્વારા સંરક્ષિત હોવા છતાં અન્ય માનવીય સમુદાયો કરતા સહેજપણ સારા નથી.તે સિવાય તેઓ માટે હું અન્ય કાંઇ કહી શકું નહીં. સામાન્યતઃ મને જાણીને ઘણું દુખ થાય છે કે તમે એક વિશેષ સ્થાન ધરાવો છો અને માણસ તરીકે બાહ્ય અને યહૂદી તરીકે આંતરિક એમ ગૌરવની બે દિવાલો વડે તેનો બચાવ કરવાનો પ્રયાસ કરો છો.એક માણસ તરીકે તમે કાર્યકારણમાંથી છુટકારો મેળવવાનો દાવો કરો છો અને યહૂદી તરીકે તમે એકેશ્વરવાદનો વિશેષાધિકાર ભોગવો છો.જો કે મર્યાદીત કાર્યકારણ વધુ લાંબો સમય માટે કાર્યકારણ રહી શકતું નથી કેમ કે આપણા સર્વશ્રેષ્ઠ સ્પિનોઝાએ તમામ પ્રકારની ખણખોદ કરી છે અને ઘણુ કરીને તેમ કરનાર તે પ્રથમ હશે.અને વિવિધ ધર્મોના જડ અર્થઘટનો સૈદ્ધાંતિક રીતે ઇજારાશાહીથી ક્યારેય નાબૂદ થયા નથી.આ પ્રકારની દિવાલોથી તો આપણે ફક્ત કેટલાક પ્રકારની જાત સાથેની છેતરામણી જ મેળવી શકીએ જો કે આપણા નૈતિક પ્રયાસોને તેનાથી ક્યારેય બળ કે વેગ મળ્યો નથી. ઉલ્ટાનું હવે આપણા બૌદ્ધિક ચુકાદાઓ અંગે મેં આપણા મતભેદો જાહેર કરી દીધા છે તેમ છતાં હું એ બાબતે હજુ પણ સ્પષ્ટ છું કે માનવ વર્તન જેવી જરૂરી બાબતોમાં આપણે એકબીજાથી ઘણા નજદીક છીએ.આપણને ફક્ત આપણા બૌદ્ધિક વિચારો જ અને ફ્રોઇડની ભાષામાં કહીએ તો તર્કસંગતતા જ એકબીજાથી છૂટા પાડે છેતેથી જ મારું માનવું છે કે જો આપણે કોઇ નક્કર બાબત વિશે વાત કરીશું તો જરૂર એકબીજાને સમજી શકીશું.મૈત્રિપૂર્ણ આભાર અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ સાથે.
તમારો આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(સ્તોત્ર સોજન્ય વેબ)

આવા મહાન વૈજ્ઞાનિક નાં જો આવા વિધાનો હોય તો આ પોતાની જાત ને આધુનિક "વિવેકબુધ્ધિવાદી" તરીકે ઓળખાવતા વૈજ્ઞાનિક ધારાધોરણો માં માનતા આધુનિક નાસ્તિકો એ વિજ્ઞાનની મર્યાદાઓ નો સ્વીકાર કરવો જોઇયે અને નકામી માહીતી ઓ નો ઉપયોગ કરી ભ્રામક માહીતી ફેલાવી ને નાસ્તિકતા ને ઉત્તેજન આપ્યા વગર / લેખનકળા થી (ઉપરોક્ત સ્ટીફ્ન ઉદાહરણ મુજબ) પોતાને જ મહાન અને વિવેકી સાબિત કર્યા વગર સમાજ ને સાચી માહીતી પીરસી ને સમાજ ને સાચા અર્થ માં માનવતાવાદી બનાવવાનાં અને સમાજ માં થી વિજ્ઞાન નાં સહારે અંધશ્રધ્ધાઓ દુર કરવાનાં પ્રયાસો કરવા જોઇયે ખોટી ધાર્મિક માન્યતાઓ થી બદબદી રહેલા સમાજ ને ખદબદતો કરી ને ખરડવા ની કોશિષો કર્યા વગર સ્વામી વિવેકાનંદ જેવા સાચા વિવેકપંથી બનવાની જરુર છે જેઓ ધર્મ ને સાથે રાખી ને ધર્મ અને આધ્યાત્મ ને પચાવી શકયા અને માનવજાત ને નવી રાહ દેખાડી અને સાચા માનવતાવાદી તરીકે મુળ નામ નરેન્દ્રનાથ નામ ને બદલે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા અને ભારતિય સંસ્કૃતિ માં આખાય વર્લ્ડ માં ડંકો વગાડ્યો

અંધશ્ર્ધ્ધા નિવારણ ની સાથે સાથે આસ્તિકતા નિવારણ પણ ચાલી રહ્યું છે માનવતાવાદ ને બદલે સમાજ ને ચર્વાકીગર્તા માં ધકેલતું જાય છે
વધારે માં મેગેજીનો ની પીડીફે ફાઇલો
નકરો કુપ્રચાર ભારતીય સંસ્કૃતિ એ શું કર્યું પાછલા વર્ષો માં ? નાનાં નાનાં આર્ટીકલો જેમાં ભારતે પાછલા તાજેતર નાં વર્ષો માં એક હેલીકોપ્ટર થી વધુ કાઇ ન શોધી શક્યું એમને ડો. APJ અબ્દુલ કલામ નથી દેખાઇ રહ્યા શું ? જેમણે મિસાઇલમેન તરીકે નું બિરુદ મળ્યું જેઓ એ બેલેસ્ટીક(ભુખંડીય) મિસાઇલ ની ટેકનોલોજી અને ઉપગ્રહ પ્રક્ષેપણ ટેકનોલોજી માં યોગદાન આપ્યુ એવું જ નથી જે પણ વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન વિષયક સંસોધનો કર્યા એ માં ઉપર મુજબ જોયેલાં વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન સિવાય ની બાબતો માં પણ પોતાના બહુ જ મોટા યોગદાનો આપેલાં છે જ જે સાચા અર્થ માં માનવતાવાદી બની શક્યા છે જેઓ ભારત નાં "રાષ્ટ્રપતિ" તરીકે આરુઢ થયા ભારતરત્ન , પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ જેવા પારિતોષિકો થી સમ્નાનવામાં આવ્યા એ કર્મનિષ્ટ મહામાનવે એ પોતે કબુલ્યું છે કે
"ઇષ્વર , આપણા નિર્માતા એ આપણા મસ્તક અને વ્યક્તિત્વ માં અસિમિત શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે અને ઇષ્વર ની "પ્રાર્થના" એ વિકસિત કરવા માટે મદદ કરે છે"
-અબ્દુલ કલામ. ( આ કોઇ બુધ્ધિવગર નાં કે અવૈજ્ઞાનિક માનવી નું કથન નથી)

આવા વૈજ્ઞાનિકો ને હમેંશા બુધ્ધિજીવીઓ સવાલો કરે છે કરતા આવ્યા છે ઇષ્વર ની સ્વીકૃતિ વીશે નાં જેમાં " વિઝનરી ઓફ ઇંડીયા" માં લખાય છે કે
" આકાશ તરફ જુઓ આપણે એકલા નથી આખું બંહમાંડ આપણા માટે અનુકૂળ છે જે લોકો સપના જુએ છે અને એને માટે મહેનત કરે છે એને માટે એ પ્રતિફળ આપવાની યોજના ઘડે છે" -અબ્દુલ કલામ

વિવેકબુધ્ધિ નાં નામે નાસ્તિકતાવાદ નું તર્કટ ફેલાવવા માટે કેટકેટલાં વાહિયાત ઉદાહરણો ? જે ડોક્ટરો, વકીલો વૈજ્ઞાનિકો સવારે પોતાના કામ શરુ કરતા જે ઇષ્વર ની પ્રાર્થના કરે છે એમનાં માટે લખે છે કે તેઓ ભણેલા અભણ છે અથવા બુધ્ધિ વિનાના છે હવે વાચકો એ સારી રીતે વિચારી શકે છે કે એ લોકો આવા "ભ્રામક" લેખકો કરતા વધારે બુધ્ધિશાળી છે કે જેઓ પોતાની અને વિજ્ઞાન ની મર્યાદાઓ ને જાણે છે
માનવી હજી માનવી સુધી નથી પહોંચી શક્યો મેડીકલ સાયંન્સ નાં માંધાતાઓ કોમા માં સરી પડેલા માનવી ક્યારે ચેતના માં આવશે એ નથી કહી શકતા જેઓ માનવીય દેહ ની નસે નસ થી વાકેફ છે એ ડોકટરો ઓપરેશન વખતે બધાં હથિયારો હેઠા મુકી દે છે અને મેડીકલ સાયન્સ ની મર્યાદાઓ માં અટવાઇ જાય ત્યારે એ ઇષ્વરીય બાબતો માં વિશ્વાસ મુકે છે અને તાજ્જુબ પણ છે કે કોઇ પણ ચાન્સ ના હોય એવાં પેશન્ટો અચરજ ની વચ્ચે મોત નાં મોમાં થી પાછા પણ આવી જાય છે

મનોવિજ્ઞાનીઓ એ લાખો થીસીસ ના થોકડા લખી નાખ્યા પણ માનવી હજી માનવીય મન નાં તાગ નથી કાઢી શક્યો અને કાઢી શકાયો હોત તો આજે પાગલખાના ઓ માં પાગલો ના હોત....!! હજી બહુ શોધો કરવાની બાકી છે અને એ નિરંતર ચાલ્યા કરે છે એ એક મર્યાદા છે

સંગત રીતે બેસાડી ને લેખન માહીતી માં ઉદાહરણો બેસાડી શકાય છે કે માનવી એ પરમાણૂં બોમ્બ ની શોધ કરી નાંખી પણ રણ ની રેતી ને માટી માં તબદીલ કરી ને વન/ઉપવન બનાવતી કોઇ ટેકનોલોજી હજી સુધી નથી શોધી શકાઇ... દરિયા ના પાણી ને હવા માં થી રાસયણીક પ્રક્રીયા કરી એમાં સંયોજન કરાવી ને આખાય દરિયાનાં ખારા પાણી ને મીઠું બનાવવાની કોઇ પ્રણલિકા હજી સુધી ડેવલપ નથી કરી શકાઇ. ભુકંપમાપક યંત્ર ની શોધ કરી નાખી એનાથી તીવ્રતા માપી શકાય છે પણ ગણિત નાં કેલેન્ડર માં લાગુ પડતા નિયમો મુબજ હજી પણ ભુસ્તરશાસ્ત્રીઓ જમીન ની અંદર ચાલતી ઉથલપાથલો ની નોંધ કરી ને ક્યારે ભુકંપ અને સુનામી આવશે એ નક્કી કરી શકતા..જો કેલેન્ડર માં ગણત્રી નાં આધારે સુર્યગ્રહણ/ચંદ્રગ્રહણ અને એના સમય તદઉપરાંત ભુગોળકીય અક્ષાંસ-રેખાંશ દ્વારા દર્શિત વિસ્તાર ને પણ નક્કી કરી શકે છે એમ ભુકંપ બાબતે જાપાની ઓ પણ એ હજી નથી શોધી શક્યા આવું ઘણૂં બધું છે હજી વૈજ્ઞાનિક બાબતો માં જગત સંપુર્ણ નથી

આખાય બ્ર્હમાંડ ની વિશાળતા અને એમાં માં કેટલા સૌરમંડળો અસ્તિત્વ ધરાવે છે એ નથી જાણી શકાયું પૃથ્વી જેવા જીવો બીજા ક્યાં ક્યાં છે એ નથી જાણી શકાયું હજી ઘણું બધુ બાકી છે એ રહસ્યો છે અને એને પામવા માનવી ખુબ નાનો છે કારણ કે હજી માનવી, માનવી સુધી પણ નથી પહોંચી શક્યો
વૈજ્ઞાનિક અભિગમ નો મતલબ એ નથી કે જે બાબતો ની શોધ નથી થયી એને ફગાવી દેવી અને જો એમ માનવા માં આવે તો એ "બુધ્ધિવાદ" નહી કહેવાય

"રેશનાલીઝ્મ " ના નામે નકરા નાસ્તિકતા ના પ્રચાર કેટલા અંશે સાચો છે જે આપણે ઉપર ની બાબતો માં જોઇ ગયા એવી અનેક બાબતો ને લેખનકળા (સ્ટીફ્ન ઉદાહરણ મુજબ) નો ઉપયોગ કરી ને તર્ક નાં નામે એટલી બધી નકારાત્મક જાત જાત નાં અહેવાલો ટાંકી ને બાબતો ને ઘુંટી કાઢી કે સામાન્યજન ને સત્ય થી વેગળા બનાવી દઇ ને નાસ્તિકતા તરફ લાવી શકાય
જેમ "સત્ય" કડવું હોય છે એમાં ઉંડાણ માં પણ હોય છે અને મિથ્યા એ જ રીતે સીધી ગળે ઉતરી જાય એવી છીછરી બાબત હોય છે એને સમઝવા માટે વધારે જ્ઞાન ની જરુર નથી હોતી જ્યારે સત્ય એટલા બધાં ઉંડાણ માં છે જે જેને સમજવા માટે બહુ ઉંડાણ માપી જોવું પડે એ ઉંડાણો માપવા માટે એ "અનંત" "ઇષ્વર " એ બધી બાબતો ને શોધવા કે સમીપ જવા માટે
વિજ્ઞાન અ-સમર્થ છે એની મર્યાદાઓ આવી જાય છે

"ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે."
-આલ્બર્ટ આઇન્સ્ટાઇન
( સૌજન્ય ટાઇમ્સ મેગેજીન : વેબસાઇટ પરથી ગુજરાતી ભાષાંતર)

સહુ પ્રથમ હીસ્ટ્રી નાં મુદ્દા માં જણાવેલા મહાનુભાવો માપી શ્કયા ત્યારે જ તેઓ માનવજાત ને અંધશ્રધ્ધાઓ થી મુક્ત કરી ને જીવન નો નવો રાહ ચિંધી ગયા અને એમનાં નામ પણ ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે અંકિત કરાવી ગયા એ સાચા "બુધ્ધિવાદી" ઓ થયી ગયા ફક્ત નાસ્તિકતા નાં પ્રચાર માટે "અંધશ્રધ્ધા નિવારણ" ના નામે અંધશ્રધ્ધા ની સાથે સાથે શ્રધ્ધા નું પણ નિવારણ કરી ને સત્કર્મ-દુષ્કર્મ /શ્રધ્ધા - અંધશ્રધ્ધા ની વચ્ચે રહેલી ભેદરેખા દુર કરી એક જ ડેફીનેશન બનાવી ને .... "બુધ્ધિવાદી" કહેડાવવું એ "અવિવેકીપણૂં" કહેવાશે

-શ્યામ શુન્યમનસ્ક
તા - ૨૦/૧૦/૧૧

આધ્યાત્મ વિશે ટુંક માં


હવે જોઇશું આપણે આધ્યાત્મ વિશે .......
આ મુદ્દો આપણે પહેલાં જ જોઇ ગયા હોત તો બધી વાતો અધ્ધર પણ જઇ શકે પણ વિજ્ઞાન અને ઇષ્વર નો મુદ્દો જોયા પછી
વૈજ્ઞાનિકો, તત્વચિંતકો નાં એક શક્તિ નાં હોવાપણા નાં સ્વીકાર પછી એને ફોલો કરવા માટે ની થીયરી એટલે કે "આધ્યાત્મ" વિશે ખુબ જ સંક્ષીપ્ત માં જોઇશું

આધ્યાત્મ વિશે ટુંક માં
===============



અક્ષરં બ્ર્હમ પરમં સ્વભાવોઅધ્યાત્મમુચ્યતે !
અર્થાત
પરમ અક્ષય(જેનો ક્યારેય ક્ષય નથી થતો ) એ "બ્ર્હમ" છે (સમગ્ર સૃષ્ટી નું સંચાલન કરનાર "શક્તિ" તરીકે જેનો હોવા પણાનો અભિગમ આપણે જોયો)
અને (મનુષ્ય) પોતાનુ સ્વરુપ અર્થાત જીવાત્મા ( જીવ) "આધ્યાત્મ" નામે ઓળખાય છે .

મનુષ્ય સમસ્ત સૃષ્ટી ના પ્રાણી ઓ માં નુ એક અલગ પ્રકાર નુ પ્રાણી છે બધાં પ્રાણી ઓ માં જીવ તો હોય છે જ પણ મનુષ્ય ની બુધ્ધિ બધાં પ્રાણી ઓ કરતા શ્રેષ્ઠ છે
મનુષ્ય ની જેમ બીજાં પ્રાણી ઓ વિચારી નથી શકતા અથવા એમને ફક્ત ભુખ લાગે છે ખાય છે અને ઇન્દ્રીયગત કાર્યો ફક્ત કરી શકે છે , બધાં જ જીવો કોષો નાં સમુહ નાં બનેલાં છે પણ મનુષ્ય અન્ય પ્રાણી ઓ કરતા અલગ છે એનો જે જીવ છે એ બીજા પ્રાણી ઓ કરતા ભિન્ન છે એટ્લે જ મનુષ્ય઼ આટલી પ્રગતી કરી શક્યો છે
અને એટલે જ મનુષ્ય નાં જીવાત્મા ને અલગ રીતે જોવા માં આવે છે એમાં મન, બુધ્ધિ જેવી અલગ જ પ્રકાર ની વસ્તુ ઓ છે જે બીજા પ્રાણી ઓ કરતા ચઢીયાતી અને અનેક શક્તિઓ થી યુક્ત છે
જેવી રીતે સમગ્ર સૃષ્ટી નું સંચાલન કરનાર "શક્તિ" છે એજ શક્તિ નાં અંશ મનુષ્ય નાં જીવ માં છે અને એટલે જ મનુષ્ય સહુ પ્રાણી ઓ માં સહુ થી વધારે બુધ્ધિશાળી પ્રાણી છે જે અત્યાર સુધી માં સાબીત પણ થયુ છે

એ જીવ ને પ્રકૃતિ નાં અંશો સાથે મેળવણ કરવુ અથવા એની સમાંતરે ચાલવું અને પ્રકૃતિ નાં ગુણો ને અનુસરી ને એ શક્તિ નાં સમીપ જવાનાં અને એને સમજવાનાં એને પામવાનું તત્વજ્ઞાન અથવા તાર્કિક આધાર એ "આધ્યાત્મિકતા" છે

ભૌતિકશાસ્ત્ર ની દષ્ટી એ જેને પાંમી નથી શકાતું તો ફક્ત ન પામી શકવા ના લીધે નકારી પણ નથી શકાતુ અને એનો સ્વીકાર પણ કરવો પડે છે એક એવી બાબત ને સાઇકોલોજીકલ થીયરી દ્વારા શોધવાની કોશિષ જે સ્વામી વિવેકાનંદ જેવાં તત્વજ્ઞાની ઓ કરી શક્યા અને એ શક્તિ સાથે એકાત્મકતા નો ભાવ/ સમીપત્વ નો ભાવ સાધી શક્યા એ છે આધ્યાત્મિકતા ...!!!


જેમ કે નંબર .... જેનો પ્રથમ છેડો શૂન્ય છે અને પછી એ ૧ થી શરુ થાય છે અને પછી ...... અનંત .... !!! આધ્યાત્મ એ એ શક્તિ નાં સમીપે જવાનાં નંબરો ની સાથે ચાલવા નાં અને એમાં એક્યરુપ સાધવા નું તત્વજ્ઞાન છે જે માનવીય મન પર નાં સંયમ અને શિષ્ય઼ાચાર દ્વારા સામાન્ય માનવી પણ એને અનુસરી ને એનાં અહોભાવ ને માણી શકે છે એ માટે એમં ઉંડા ઉતરવું પડે એ બાહ્ય અને ભૌતિક દ્ર્ષ્ટીકોણ થી ક્યારેય સંભવ ના બની શકે ..!!

એવું પણ નથી કે કે આધ્યાત્મ ધાર્મિક પુસ્તકો ની મનઘડંત કહાણીઓ જ છે તેનાં ઉપર વૈજ્ઞાનીક રીસર્ચ પણ થયી છે અને એ ચાલ્યા જ કરે છે
વૈજ્ઞાનીક સાપેક્ષવાદ નાં સિધ્ધાંતો ને સાંકળતી અને ભૌતિકશાસ્ત્ર નાં વૈજ્ઞાનીક સિંધ્ધાંતો ને અનુસરતી યોગ અને આધ્યાત્મ વિષયક પુસ્તકો યોગાનંદજી (રાંચી) એ લખ્યાં છે
૧. ઓટોબાયોગ્રાફી ઓફ યોગી
૨. ધ હોલી સાયન્સ ( બાઇબલ અને સનાતન ધર્મ ને નાં મુખ્ય ઉપદેશો ને વેદો મુજબ સમતોલન)
૩. વ્હીસપર્સ ઓફ એન્ટરનીટી
તેમનું યોગ અને આધ્યાત્મ વિષયક વર્લ્ડ રીલીઝીયસ કોનફરન્સ , ધ સીટી ઓફ સ્પાર્ટો માં વ્યાખ્યાન
અમેરિકા માં સેલ્ફ રીયલાઇઝેશ ફોલોશિપ લોસએંજેલસ કેલિફોર્નિયા માં એમની પ્રણાલિકાઓ
ગણિત નાં નિયમો ની જેમ યોગ અને આધ્યાત્મ નું નવુ રુપ જે કોઇ પણ વ્યક્તિ એનો અનુભવ કરી શકે

એવી જ રીતે આધ્યાત્મ ને આધુનિક પ્રણાલિકા આપનાર મહર્ષિ મહેશ યોગી (જબલપુર મધ્ય પ્રદેશ) લીખીત
The Science of Being and Art of Living (1963)
Meditations of Maharishi Mahesh Yogi (1968)

આધ્યાત્મ નાં વિષય પર લખાયેલા આ પુસ્તકો ને અમેરિકા નાં બીટલ ગ્રુપ ને પ્રભાવિત કરી શક્યા અને આધુનિક મનોચિકીત્સકો એ એને મન ને ખુબ શાંતિ અપાવનારા આંતરિક આનંદ ઉતપ્ન્ન કરનારા અને જીવનશક્તિ ને વર્ધિત કરનાર ગણાવ્યા ...!!

જ્યાં નાસ્તિક વિચારધારા ધરાવતા "ગૌતમ બુધ્ધ" આધ્યાત્મિક શક્તિ ઓ વડે બોધિસત્વ પ્રાપ્ત કરી ને પોતે "ભગવાન બુધ્ધ" તરીકે પ્રસ્થાપિત થયી શકે છે પોતાના માં રહેલા ઇષ્વરિય અંશ ને દુનિયા ની સામે મુકી શકે છે એ છે આધ્યાત્મ ...!!!
સ્તોત્ર : બૌધ્ધ ફેનોમેનોલોજી : અ ફીલોસોફીકલ ઇન્વેસ્ટીગેશન ઓફ યોગકારા બૌધ્ધિસ્મ
અને ધ ઓરિજીન ઓફ બૌધ્ધિસ્ટ મેડીટેશન (એલેક્ઝાંડર વેન)


સ્વામિ વિવેકાનંદ જેવા ઐતિહાસિક મહામાનવે આ દિશા માં ખુબ ઉંડાણ પુર્વક નાં અભ્યાસુ થયી ગયા જેઓ ખરેખર સાચા માનવતાવાદી હતા જ્યોતિષશાસ્ત્ર જેવી બાબતો માં ક્યારેય વિષ્વાસ નહોતો કર્યો અને સમાજ ને અંધશ્રધ્ધાઓ માં મુક્ત કરવ નાં ઉત્તમ પ્રયાસો કર્યા હતા જે આજે પણ જગવિખ્યાત છે એમણે ભારતીય સંસ્કૃતી નાં "વિશ્વ" ને દર્શન કરાવ્યા હતા ...એ પોતે શરુઆત માં એમના ગુરુ "રામકૃષ્ણ પરંમહંસ" ની ઇષ્વરીય શ્રધ્ધા પર સવાલ ઉઠાવી ચુક્યા હતા અને એમની વાત ને રદિયો આપ્યો હતો પણ તેઓ સાચા ગુરુ નાં સાચા શિષ્ય હતા જેમને સાચુ જ્ઞાન આપી શક્યા અને એઓ ગ્રહણ પણ કરી શક્યા જેઓ માનતા હતા કે "દરેક જીવ માં ઇષ્વર છે"
ભારતિય સંસ્કૃતિ માં તેઓ ઉંડાણ માં ઉતર્યા પછી નકામી બાબતો ને ફગાવી પણ હતી અને ગેરમાન્યતાઓ થી બહાર આવવા માટે સમાજ ને નવો પથ દેખાડ્યો હતો
આ હતો સાચો "બુધ્ધિવાદ"


હવે વિચારીય઼ે બુધ્ધિવાદ માટે ..

ચાલી રહેલા આધુનિક પ્રવાહો માં જૂનવાણી પાયાહીન વિચારો , ને ત્યજી ને અંધશ્ર્ધ્ધાઓ માં ન માનતા એ બાબતે વૈજ્ઞાનિક અભિગમ ખુબ જ જરુરી છે અને એ વાત ને આજ ની પેઢી સમજી પણ શકે છે કારણ કે હવે આજ ની પેઢી અભણ પણ નથી રહી છંતા ઇષ્વર હોવા ના હોવા ની બાબત વિશે આપણે વૈજ્ઞાનિકો નાં મત પણ આગળ નાં લેખ માં જોઇ ગયા અને ખુદ વિજ્ઞાન પણ પોતાની મર્યાદા ઓ ને જાણે છે અને એટલે જ ડો. અબ્દુલ કલામ જેવા ઐતિહાસિક મહામાનવો ઇષ્વર પ્રત્યે શ્રધ્ધા ની વાત કરે છે "પ્રાર્થના" ની શક્તિ ને માને છે અને એ "અવિવેકી" બાબત નથી એટલે જ બુધ્ધિવાદ નાં નામે નકરી નાસ્તિકતા નું "ડીંડક" હાકવું એ કેટલે અંશે વ્યાજબી બને ??

ક્યાંક ક્યાંક તો લોકો ને એટલી બધી મોટી "ગેરસમજો" ઘર કરી ગયી છે કે નાસ્તિકતા એટલે વિજ્ઞાન એટલે કે વૈજ્ઞાનિક અભિગમ ને સ્વીકારવા માટે પ્રથમ નાસ્તિક બનવું પડે
અને વિજ્ઞાન સાથે આસ્તિકતા નો કોઇ લેવા દેવા નથી ........ આવી માન્યતા ઓ કેટલાયે લોકો ને "ઘર" કરી ગયી છે .... એ કેટલો "બુધ્ધિવાદ" ગણાશે ??

જ્યાં જે ધાર્મિક ગ્રંથો* (ગીતા ,કુરાન કે બાઇબલ) ન્યાય પ્રણાલીમાં આસ્થા ને માન્ય ગણી પવિત્ર પુસ્તક તરીકે માન્યતા અપાય છે એ વિશે ટીપ્પ્ણી ઓ કરી ને ધાર્મિકો વિરુધ્ધ કટ્ટરતા નાં બીજ રોપવા એ કેટલો બુધ્ધિવાદ છે?
(* ધાર્મિક ગ્રંથો વિશે આગળ નાં આર્ટીકલ માં વિસ્તૃત રીતે જોઇશું આપણી સંસ્કૃતિ માં)


વૈજ્ઞાનિક અભિગમ નો મતલબ એ નથી કે જે હજુ સુધી વિજ્ઞાન શોધી નથી શક્યું અને નકારી પણ નથી શક્યું છતાં માનવું પડે છે ત્યાં કોઇ પણ તર્ક પણ નથી ચાલી શ્કતું એવી બાબતો નો મુદ્દો ઉઠાવી ને નાસ્તિકતા નો પ્રચાર કરવો, આ તો એવી વાત થયી કે પહેલાં ધર્મો અંદરો અંદર ઝઘડતા હવે નાસ્તિકો/ આસ્તિકો ??? ખરેખર તો જે લોકો "રેશનાલીઝ્મ" ના પાયા નાં વિચારો ને જાણે છે એ લોકો ખુબ જ સહજતા થી જાણે છે અને માને છે કે "સંસ્કૃતિ" ને સાથે રાખી ને આસ્તિકતા નો વિરોધ કર્યા વગર આસ્તિક બાબતો માં રહેલી નકામી બાબતો ને સાચા અભિગમ વડે દુર કરી ને માનવતાવાદ, સમાજવાદ તરફ પ્રયાણ કરવું એજ સાચો "બુધ્ધિવાદ" બની રહેશે....!!!

-શ્યામ શૂન્યમનસ્ક .
તા - ૨૦/૧૦/૧૧